Cricket News: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતીય ટીમે બુધવારે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) ને 10 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું હતું. વર્તમાન T-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવીને જીતની હેટ્રિક લગાવી છે. ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી છે, જે વર્તમાન T20 વર્લ્ડ કપમાં 3 મેચ રમીને પણ કંઈ કરી શક્યો નથી.
આ ભારતીય ખેલાડી કંઈ કરી શક્યો નહીં
ભારતીય ટીમના આ ખેલાડીએ વર્તમાન T-20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામે 3 મેચ રમી છે. ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ટી-20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમ્યા બાદ ન તો કોઈ રન બનાવી શક્યો છે, ન તો કોઈ વિકેટ લઈ શક્યો છે, ન તો કોઈ કેચ લઈ શક્યો છે અને ન તો કઈ જ કરી શક્યો છે. કોઈને પણ રન આઉટ પણ નથી કરી શક્યો. ભારતીય ટીમનો આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રવિન્દ્ર જાડેજા છે. રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી કંઈ કરી શક્યો નથી.
રવિન્દ્ર જાડેજાને વર્તમાન T20 વર્લ્ડ કપમાં 3 મેચ દરમિયાન માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાની તક મળી છે. રવિન્દ્ર જાડેજા 9 જૂને પાકિસ્તાન સામે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો અને ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાને આયર્લેન્ડ અને અમેરિકા સામેની મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. તે જ સમયે, ફિલ્ડિંગ કરતી વખતે પણ, રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપ 2024માં એક પણ રન આઉટ કે એક પણ કેચ લઈ શક્યો નથી.
બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) સામે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને એક પણ ઓવર નાખવાની તક આપી ન હતી. આ પહેલા પાકિસ્તાન સામેની મેચમાં રવીન્દ્ર જાડેજાએ 2 ઓવર નાખતા 10 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી.
સોનાક્ષી સિંહાના લગ્નની અંદરની વિગતો બહાર આવી, સેલિબ્રેશન અંબાણી કરતાં જરાય ઓછું નહીં હોય!
માત્ર 14 દિવસમાં ડુંગળીના ભાવ 50% વધ્યા, ચૂંટણી પૂરી થતા જ ભડકો થયો, જાણો હજુ કેટલા વધશે?
સરકાર બનતાની સાથે જ બેંક કર્મચારીઓની બલ્લે બલ્લે, 16% DA વધારાની ભેટ, ફટાફટ જાણી લો ફાયદાની વાત
આયર્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 7 રન આપ્યા હતા. આ મેચમાં પણ રવિન્દ્ર જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. ટીમ ઈન્ડિયામાં સ્પર્ધા મજબૂત છે, તેથી રવીન્દ્ર જાડેજાને ખરાબ પ્રદર્શનને કારણે આગામી મેચોમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડી શકે છે.