વન, પુષ્ય અને રંગોની આલ્હાદક સોબત ધરાવતું સાંનિધ્ય એટલે કેસુડા, લૂમેઝૂમે લાગેલો ફાલ તમને જાપાનની ઋતુની યાદ અપાવી દેશે

Lok Patrika
By Lok Patrika
Gazab Gujarat
Share this Article

વહેલી પરોઢમાં તમે એક તરોતાજા પુષ્પ જૂઓ તો તમને કેવી લાગણી અનુભવાય ? પુષ્પની સુગંધ અને તેનો રંગ તમને નાવિન્ય ઊર્જા તો આપશે જ, સાથે તેનો રંગ માનસ પટલ ઉપર ઉંડી અસર પણ કરશે. આ વાત મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે અને રંગોની માનસ ઉપર કેવી અસર થાય છે ? તેની અનુભૂતિ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરમાં કરી શકો છે. કેસુડાના ફૂલથી લથબથ થયેલી વિંધ્યાચલની પર્વત માળાના પૂર્ણબિંદુ એવા કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લૂમેઝૂમે લાગેલો કેસુડો તમને જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરાવી આપે છે.

Gazab Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. કુલ ત્રણ રૂટ ઉપર આ ટ્રેઇલ ચાલે છે. તેમાં એક રૂટ છે ઝીરો પોઇન્ટ. માત્ર ચાર જ કિલો મિટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ગાઢ દોસ્તી કરવાનો મોકો આપે છે. ખલવાણીના ઝીરો પોઇન્ટથી શરૂ થતી આ ટ્રેઇલ ઉપર પગપાળા ચાલો એટલે શુદ્ધ હવા સાથે કુદરતના સાંનિધ્યની લ્હાવો મળે છે.

Gazab Gujarat

આ ટ્રેઇલ નર્મદા સરોવર યોજના હેઠળ બનાવવામાં આવેલા તળાવ નંબર ચાર પાસેથી પસાર થાય છે. એટલે એના ઓવારે પણ ઘણા ખાખરાના વૃક્ષો ઉગ્યા છે. તેના ઉપર આ ફાગળિયા ફૂલો બેસતાની સાથે જ અદ્દભૂત પરિદ્રષ્ય ઉભું થાય છે. આમ જોઇએ તો આ ટ્રેઇલમાં સાડા ત્રણ હજારથી પણ વધુ ખાખરાના વૃક્ષો છે. એટલે તેના ઉપર એક સમયગાળામાં કેસુડા લાગે એટલે કેવું મનમોહક લાગે ? એની કલ્પના કરવા માત્રથી જો રોમાંચિત થઇ જાય તો વિચારો કે આ ટ્રેઇલમાં જોડાવ તો કેવી મજા પડતી હશે.

Gazab Gujarat

વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના સાઇકિઆસ્ટ્રીસ્ટ ડો. મહેશ સુથાર કહે છે, કુદરતનું સાંનિધ્ય માનવીને સહજ આનંદ આપે છે. એમાં જો પુષ્પ ધરાવતા વનમાં પરિભ્રમણ કરવામાં આવે તો તેના રંગ અને વાતાવરણ માનસિક આરામ પ્રદાન કરે છે. વ્યસ્ત દૈનિક ધરાવતા લોકોએ આવા પરિભ્રમણ કરતા રહેવા જોઇએ. જેથી તેના કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

Gazab Gujarat

આટલી પુષ્કળ માત્રામાં કેસુડો જોતાની સાથે મનમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. મનોવિજ્ઞાન કહે છે, કેસરી રંગથી આત્મ વિશ્વાસ વધે છે. આ ઉપરાંત વનરાઇનો લીલો રંગ માનસિક રીતે હિલિંગ કરે છે અને આનંદમાં વૃદ્ધિ કરે છે. આ બન્ને રંગનો સોબત કેસુડા ટ્રેઇલમાં જાય છે.

Gazab Gujarat

ખલવાણી રૂટની કેસુડા ટ્રેઇલમાં વન પરિભ્રમણ કરતાની સાથે કુદરતના પરમ સાંનિધ્ય અને નિરવ શાંતિનો અનુભવ થાય છે. વિંધ્યાચલની પર્વત માળાની વનરાઇએ જાણે કેસરી ચુંદડી ઓઢી એવો અહેસાસ થાય છે. વચ્ચે ત્રણેક વન તલાવડી પણ આવે છે. તે વનવિભાગના પ્રકૃતિ સંરક્ષણની સાક્ષી પૂરે છે. આ ચારેક કિલોમિટરના ભ્રમણમાં તમને પક્ષીઓના ગીતો સંભળાશે, તૃણભક્ષી પ્રાણીની ચહલપહલ સંભળાશે. તેના પગેરૂ જોવા મળશે.

આકાશ અંબાણીની સાળી પાસે બોલિવૂડની અભિનેત્રીઓનું કંઈ ના આવે, લોકોએ તસવીરો જોઈ અપ્સરા સાથે કરી સરખામણી

વરસાદની દયનીય સ્થિતિમાં ગુજરાતને વધારે એક ફટકો, ડાંગ-દાહોદમાં વીજળી ત્રાટકતા 2 લોકોના મોત, ભડભડ બાળી નાખ્યાં

ઊંઘને ​​લઈ AIIMS નો ડરામણો ખુલાસો, જો જીવ વ્હાલો હોય તો આટલા કલાક સુઈ જાજો, નહીંતર હાર્ટ એટેક આવશે!

યાદ રાખવું જોઇએ કે કેસુડા ટ્રેઇલમાં જતી વખતે ટ્રેકિંગ જોડા પહેરવા જોઇએ. પાણી સિવાયનો કોઇ સામાન સાથે લઇ ના જવો જોઇએ. આ ટ્રેઇલ કુદરતીની નજીક જવાનો અવસર છે. એટલે કોલાહલ તો બિલ્કુલ ના કરવો જોઇએ

આલેખન – દર્શન ત્રિવેદી


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly