ગોરખપુરના એક ગામમાં 70 વર્ષની ઉંમરે 28 વર્ષની પુત્રવધૂ પર સસરાનું દિલ આવી ગયું, તેથી તેણે પરિવાર અને સમાજની પરવા છોડીને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. ઉંમરમાં 42 વર્ષ નાની પુત્રવધૂ સાથે સસરાના લગ્નથી બધાને આશ્ચર્ય થયું છે. આ પરિણીત યુગલની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.
લગ્ન ગોઠવનાર 70 વર્ષીય વ્યક્તિ કૈલાશ યાદવ બરહાલગંજ પોલીસ સ્ટેશનના ચોકીદાર છે. તેની પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું. છપિયા ઉમરાવ ગામના રહેવાસી કૈલાશ યાદવે પોતાના પુત્રની પત્ની સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. બંનેની આ હરકતોથી બધા આશ્ચર્યમાં છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. દરેકની જીભ પર આ લગ્નની ચર્ચા છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ, જગતનો તાત રાતે પાણીએ રડશે
હવે તમે જ નક્કી કરો કોણ મુરખ?? પઠાણે બે જ દિવસમાં કમાઈ લીધા 100 કરોડ, બોલિવૂડની સૌથી મોટી ઓપનર બની!
કૈલાશ યાદવના ચાર સંતાનોમાંથી ત્રીજા પુત્રના મૃત્યુ બાદ પુત્રવધૂ વિધવા બની ગઈ હતી. કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પુત્રવધૂના અન્યત્ર લગ્નની વાત ચાલી રહી હતી. આ દરમિયાન સસરા કૈલાશ યાદવનું દિલ તેમની વહુ પર આવી ગયું. આ પછી તેણે પરિવાર અને સમાજની પરવા કર્યા વિના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બંનેએ મંદિરમાં એકબીજા સાથે સાત ફેરા લીધા. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સહમતિથી લગ્ન કર્યા છે. આ બાબતે કોઈએ ફરિયાદ કરી નથી.