શેરબજારમાંથી પૈસા કમાવવાની ફોર્મ્યુલા મળી ગઈ! હવે તમારા પૈસા નહીં ડૂબે, તમે પણ જાણો અને નોટ છાપવા લાગો

Lok Patrika
By Lok Patrika
Share this Article

શેરબજારમાં પૈસા રોકનાર દરેક રોકાણકાર ઇચ્છે છે કે તેને નફો જ થાય, પરંતુ તમામ રોકાણકારોની ઇચ્છા પૂર્ણ નથી થતી. સ્ટોક માર્કેટમાં કેટલાક રોકાણકારો પોતાનું તમામ ગુમાવી બેસે છે, તો કેટલાક ઘણી નોટ છાપી લે છે. ઘણા લોકોને લાગે છે કે, કેટલાકની પાસે શેરબજારમાં પૈસા બનાવવાની સિક્રેટ ફોર્મ્યુલા હોય છે, જેના સહારે તેઓ સારા એવા પૈસા બજારમાંથી કમાઈ લે છે. જ્યારે હકીકતમાં શેરબજારમાંથી કમાણી કરનારા રોકાણકારો સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટના બેઝિક ફંડામેન્ટલનો પૂર્ણ રીતે પાલન કરે છે. તેઓ એ ભુલોને સારી રીતે ઓળખે છે અને તેનાથી બચે છે જેના કારણે મોટાભાગના રોકાણકારો પોતાના નાણાં ગુમાવી દે છે.

જો તમારી પુંજીને સુરક્ષિત રાખીને શેરબજારમાં નફો કમાવવો છે, તો આ ભુલોથી બચવું ઘણું જરૂરી છે. નફો કમાવાની ઉતાવળ, લાગણીમાં વહીને રોકાણ અને કોઈ પણ ટિપ્સ પર નાણાં લગાવી દેવાથી લાખો લોકો પોતાના નાણાં ગુમાવી બેઠા છે. જો તમે પણ શેરબજારમાંથી પૈસા કમાવવા માગો છો તો મારે કેટલીક વાતોની ગાંઠ વાળી લેવી જોઈએ. જો તમે એક સામાન્ય રોકાણકાર દ્વારા કરવામાં આ‌વતી સામાન્ય ભુલો નહીં કરો, તો ફાયદો થવાની શક્યતા ઘણી વધી જશે.

મનની નહીં મગજની વાત સાંભળો

બજારમાં પૈસા લગાવનારા રોકાણકાર જો પુરતી જાણકારી અથવા તથ્યોના આધારે સ્ટોક્સમાં રોકાણ કરશે તો ફાયદાને બદલે નુકસાન જ થશે. લાલચ અથવા ડર જેવા લાગણી દ્વારા નિયંત્રી થઈને જો તમે શેર ખરીદશો અથવા વેચશો તો તમે જલદી નાદાર થઈ જશો. આ રીતે નાણાં રોકવાને બદલે લાંબા સમય માટે શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવું જોઈએ. યોગ્ય તથ્યો અને જાણકારીઓના આધારે જ નાણાં રોકવા અથવા શેર વેચવાનો નિર્ણય લેવો જોઈએ.

જાણિતા રોકાણકાર હોવાર્ડ માર્ક્સનું કહેવું છે કે, જો કોઈ રોકાણકાર માર્કેટની પળેપળમાં બદલતી પરિસ્થિતિઓ મુજબ પોતાના પોર્ટફોલિયોમાં ઝડપથી બદલાવ કરે છે તો તે કમાણી કરી શકે નહીં. રોકાણ માર્કેટની સ્થિતઓ મુજબ નહીં, પરંતુ તાર્કિક મૂલ્યાંકન અને પરિસ્થિતિઓના ગહન અભ્યાસ પછી જ લો. ગભરાટ કે ઉતાવળમાં નહીં.

ટોળાં પાછળ ન ચાલો

દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે રોકાણકારો માટે એક સલાહ ઘણા સમય પહેલાં આપી હતી. બફેટનો મંત્ર છે કે, ‘જ્યારે બીજા લોભી હોય ત્યારે તમે ડરો અને બીજા ડરે ત્યારે તમે લોભી બનો’ બફેટના આ મંત્રનો અર્થ છે કે, જ્યારે બીજા રોકાણકારો ઝડપથી ખરીદી કરી રહ્યા હોય ત્યારે તમારે સમજીવિચારીને રોકાણ કરવું જોઈએ. પરંતુ જ્યારે લોકો ડરીને વેચાણ કરી રહ્યા હોય તો તે સ્થિતિનો ફાયદો ઉઠવીને ખરીદી કરવી જોઈએ અને કાયર બનવાને બદલે લોભી બનવું જોઇએ.

એક જ ટોકરીમાં તમામ ઇંડા ન રાખો

તમારી સમગ્ર પુંજી કોઈ એક શેર અથવા સેક્ટરમાં લગાવી દેવી બીજી સૌથી મોટી ભુલ છે. જે સામાન્ય રોકાણકાર કરે છે. કહેવામાં પણ આવ્યું છે કે, તમામ ઇંડા એક ટોકરીમાં ન રાખવા જોઈએ. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા હોવી જોઈએ. રોકાણકારએ પોતાના ફંડને અલગ-અલગ પ્રકારના એસેટ ક્લાસમાં વહેંચીને લગાવવું જોઈએ. નવા છૂટક રોકાણકારોએ મોટેભાગે શેરમાં સીધા રોકાણ કરવાને બદલે મ્યૂચ્યુઅલ ફંડ્સ દ્વારા નાણાં લગાવવા જોઈએ.

કંપની અથવા એસેટના ફંડામેન્ટલને ન અવગણો

જો તમે માર્કેટ ટ્રેન્ડ્સ, ટિપ્સ અથવા અફવાના આધારે ઉતાવળમાં પૈસા કંપની અથવા એસેટ ક્લાસના ફંડામેન્ટલ જાણ્યા વિના જ પૈસા લગાવો છો, તો તમે પોતાના પગ પર કુહાડી મારી રહ્યા છો. આ રીતે રોકાણ કરવું તમારી પુંજીને ખતરામાં નાખવા સમાન છે. જે પણ કંપની, ફંડ અથવા એસેટ ક્લાસમાં નાણાં રોકવા જઈ રહ્યા છો, તેની આર્થિક સ્થિતિ, પર્ફોર્મન્સ અને વિકાસની શક્યતાઓ અંગે યોગ્ય જાણકારી પહેલાં મેળવી લો.

અમીર બનવાની ઉતાવળથી બચો

શેરબજારમાં નાણાં લગાવી તમે રાતોરાત અમીર બની શકતા નથી. અહીંથી પૈસા કમાવવા માટે તમારામાં ધૈર્ય હોવું જોઈએ. શેરબજાર કોઈ જાદુથી પૈસા બ ગણા ત્રણ ગણા કરવાની જગ્યા નથી. બે-ચાર મહિામાં પૈસા બે ગણા કરવાનો દાવો કરનારી ટિપ્સની જાળમાં આવી ગયા તો તમને મોટું નુકસાન થઈ શકે છે. શેરબજારમાં કહેવત છે કે, અહીં પૈસા શેર ખરીદવા અને વેચવાથી નહીં પરંતુ રાહ જોવાથી મળે છે. આથી તમારે પણ આ મંત્રનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ અને લોન્ગ ટર્મ રોકાણ વધુ કરવું જોઈએ.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly