જ્યારે બાળક ઘોડિયામાં હોય અને ભૂખ લાગી હોય અને રડતું હોય તો એની મમ્મીને એમ લાગશે કે “હું એની સાથે નથી રહેતી એટલે રડતું હશે..”. પછી પહેલા એને ચૂપ કરાવવા પ્રયત્ન કરશે પછી અડધા કલાક પછી કંઈક ખવડાવવાનો અખતરો કરશે ત્યારે મમ્મી ને ખબર પડે ભઈલુને ભુખ લાગી હતી.
બિચારા ને પેટમાં દુખતુ હોય અને રડતું હોય તો કોઈને સમજાવી ના શકે અને મમ્મી ભૂખ્યો થયો છે એમ માનીને ખવડાયા જ કરે. તકલીફ વધી જાય તોય કોઈ ના સમજે. પછી એટલી હદે રડવું પડે કે મમ્મી ડોક્ટર પાસે લઈ જાય અને ડૉક્ટર કહે ત્યારે મમ્મી ને ખબર પડે કે ભઈલુ ને ખવડાવવાનું ન્હોતું પણ ભૂખ્યુ રાખવાનું હતું. અમુક મમ્મીઓ એવી હોય કે છોકરાઓને કકરાટીયા છે એમ માની લે અને ૨-૨ દિવસ સુધી દવાખાને પણ ના લઈ જાય. એ બે દહાડા છોકરા માટે કેટલા દુઃખદ સાબિત થાય.
(આના માટે તો વિચારીએ એટલું ઓછું છે હવે તમે વિચારો.) હવે પછીજ્યારે એક સમય એવો આવે છે ત્યારે બાળકના ઈશારા-બાળકની વાતો એની મમ્મી સાથે ઘરના લોકો સમજતા થાય છે ત્યારે બાળકનો એક બહું દુઃખી તબક્કામાંથી છૂટકારો થાય છે. એ ખુશ એટલે જ હોય છે. એ નિખાલસ રીતે આ કરૂણતા ના દીવસોમાં થી બહાર આવવાનો આનંદ લેતું હોય છે.
કુદરતની એક કરામત પણ એટલી બધી જોરદાર છે કે કોઈને શરૂઆતનો સમય(જ્યારે એક-બે વરસ ના હતા ત્યારે) યાદ રહેતો નથી. યાદ કરી જુઓ તમને જન્મના પ્રથમ વરસોનો સૌથી પહેલાનો કયો દીવસ યાદ છે? (કટાક્ષ:-જો બાળકને આવા દીવસો યાદ હોય ને તો જન્મના પ્રથમ ૨ વરસ દરમ્યાન ભોગવવું પડેલું દુઃખ માટેના સૌ પ્રથમ જવાબદાર મમ્મી-પપ્પા માટે એને ક્યારેય પ્રેમ ના જાગે. ઉપરથી મોટા થઈને ફટકારે.)