કરણી સેનાના રાજપૂત નેતા રાજ શેખાવતે રવિવારે ‘પુષ્પા 2’ના નિર્માતાઓને ધમકી આપતા ફિલ્મ પર ‘ક્ષત્રિય’ સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા રાજ શેખાવતે કહ્યું કે, ‘પુષ્પા 2 ફિલ્મમાં ‘શેખાવત’નું પાત્ર નેગેટિવ રોલ છે, તે ફરી ક્ષત્રિયોનું અપમાન છે, કરણી સૈનિકો તૈયાર થઈ જાય, ફિલ્મના પ્રોડ્યુસરને ટૂંક સમયમાં માર મારવામાં આવશે.’ નોંધનીય છે કે ફહાદ ફાસીલ આ ફિલ્મમાં વિલન ભવર સિંહ શેખાવતની ભૂમિકામાં છે. હવે કરણી સેનાના રાજ શેખાવતે આ પાત્રને લઇને નારાજગી વ્યક્ત કરી છે અને ફિલ્મમાંથી શેખાવત શબ્દ હટાવવાની માંગ કરી છે.
‘શેખાવત’ શબ્દના ઉપયોગથી થતું અપમાન
રાજ શેખાવતે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં ‘શેખાવત’ શબ્દનો વારંવાર ઉપયોગ કરવાથી સમુદાયનું અપમાન થયું છે. તેમણે પુષ્પા 2ના મેકર્સને આ શબ્દને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી હતી. તેણે એક વીડિયો રિલીઝ કરીને જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મમાં ક્ષત્રિયોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. ‘શેખાવત’ સમુદાયને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ઉદ્યોગે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ક્ષત્રિયોનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું છે, અને તેઓએ ફરીથી તે જ કર્યું છે. ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મમાંથી ‘શેખાવત’ શબ્દનો સતત ઉપયોગ દૂર કરવો જોઈએ, નહીં તો કરણી સેના તેમના ઘરોમાં ઘૂસીને હિંસાનો આશરો લેશે, અને જરૂર પડ્યે કોઈ પણ હદે જશે.’ અત્યાર સુધી નિર્માતાઓ તરફથી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી તરફ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી છે.
પુષ્પા 2 નું કલેક્શન
સાઇટ્સના મુજબ, પુષ્પા 2 એ રીલીઝના પહેલા દિવસે ગ્લોબલ લેવલ પર 294 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી છે. પોતાના દમદાર કલેક્શન સાથે પુષ્પા 2 એ હિન્દી ભાષામાં શાહરુખ ખાનની ‘જવાન’ ના પહેલા દિવસના રેકોર્ડ તોડી નાખ્યા છે. એટલું જ નહીં, અલ્લુ અર્જુનની ફિલ્મ એ 156 કરોડ રૂપિયાની ‘RRR’ ના રેકોર્ડ પણ તોડી નાખ્યા અને હવે સુધીની સૌથી મોટી ડોમેસ્ટિક ઓપનર બની ગઈ છે. ચોથા દિવસે પુષ્પા 2 ગ્લોબલ બોક્સ ઓફિસ પર સૌથી ઝડપથી 800 કરોડ રૂપિયા કમાવનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘાયલ, ટ્રકે ટક્કર મારતા મહિલાનું મોત
નાસ્ત્રેદમસે વર્ષ 2025 માટે કરી પાંચ ભવિષ્યવાણી, જાણો નવા વર્ષમાં શું થવાનું છે.
ફિલ્મની કહાની અને કલાકારો
સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને મૈત્રી મુવી મેકર્સ અને મુત્તમસેટ્ટી મીડિયા દ્વારા નિર્મિત, ‘પુષ્પા 2: ધ રુલ’માં અલ્લુ અર્જુન ‘પુષ્પા રાજ’, રશ્મિકા મંડાના ‘શ્રીવલ્લી’ અને ફહદ ફાસિલ ‘ભંવરસિંહ શેખાવત’ તરીકે છે. ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનને પહેલા ભાગમાં તેમના પ્રદર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. સુકુમાર દ્વારા દિગ્દર્શિત ‘પુષ્પા’ ના પહેલા ભાગમાં લાલ ચંદનની તસ્કરીની કહાની દર્શાવવામાં આવી હતી અને હવે બીજો ભાગ તે કહાનીને આગળ વધારે છે.