ક્રૂઝ ડ્રગ્સ મામલે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ન ફસાવવાના બદલે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગવાના આરોપમાં નારકોટિક્સ એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે, પરંતુ તમે જાણો છો જો તે સેલ્ફી ન હોત તો એ સત્ય ક્યારેય સામે ન આવતું. શાહરૂખના પુત્ર આર્યનની એક સેલ્ફીને કારણે આર્યનને ડ્રગ કેસમાં રાહત મળી ગઈ અને હવે આ સેલ્ફીએ સમીર વાનખેડે વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે.
શાહરૂખના પુત્રની સેલ્ફીનો કમાલ જૂઓ!
આ સેલ્ફી હતી પી. ગોસાવી સાથે. આર્યનની સાથે પી. ગોસાવીએ નાર્કોટિસ્ક કંટ્રોલ બોર્ડની ઓફિસમાં એક સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી ઓક્ટોબર ૨૦૨૧માં સામે આવી હતી. એનસીપીના નેતા નવાબ મલિકે આ સેલ્ફીને લઈ સૌથી પહેલાં સવાલ ઉઠાવ્યા હતા અને પુછ્યું હતું કે, પી. ગોસાવી એનસીબીમાં નથી છતાં તે કેવી રીતે એનસીબીની ઓફિસમાં આરોપી સાથે સેલ્ફી લઈ રહ્યો છે. આ સેલ્ફી પછી કેસમાં એક વળાંક આવ્યો.
આર્યન ખાનની સેલ્ફીએ બદલ્યો ક્રૂઝ ડ્રગ કેસ
હકીકતમાં એનસીબીએ પી ગોસાવી અને તેના અન્ય એક સાથી સાંવિલ ડિસૂઝને એવી રીતે દર્શાવ્યા હતા જાણે તેઓ એનસીબીમાં જ હોય પરંતુ હકીકતમાં આ બંને બનેલી ઘટનાના સ્વતંત્ર સાક્ષી હતા. પી. ગોસાવીની કારમાં જ આર્યન અને અન્ય આરોપીઓને લવાયા હતા. તેઓને એનસીબીની ઓફિસમાં આવવા-જવાની છૂટ હતી. તેઓ આર્યન સાથે વાતો કરી રહ્યા હતા, તેની સાથે ફોટો પડાવી રહ્યા હતા.
આર્યનને છોડાવવા માટે માગ્યા હતા 25 કરોડ
આ કેસમાં જ્યારે તપાસ શરૂ થઈ તો જાણવા મળ્યું કે, પી. ગોસાવી એનસીબી માટે શાહરૂખી સાથે ૨૫ કરોડ રૂપિયાની ડીલ કરાવી રહ્યો હતો. પુત્ર આર્યનને છોડાવવાના બદલામાં શાહરૂખ ખાન પાસે ૨૫ કરોડની માંગ થઈ હતી. આ મામલો સામે આવ્યા પછી એનસીબીની વિજિલેન્સ ટીમ તપાસ કરી રહી હતી અને થોડા દિવસ અગાઉ એટલે કે ૧૧ મેના રોજ સીબીઆઈને તેઓએ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે પછી ૧૨ મેના રોજ સમીર વાનખેડેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી.