ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 50 મતદાન મથકો પર EVM મશીન કામ કરતું નથી. આમાંના મોટાભાગના મશીનો સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું, “અમે EVM મશીનો કામ ન કરવા અને તેને બદલવામાં લાગેલા સમય અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે. અમે એવા સ્થળોની યાદી સબમિટ કરી છે જ્યાં EVM કામ કરી રહ્યાં નથી. આવા 50 મતદાન મથકો છે જ્યાં આ પ્રકારની સમસ્યા આવી છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. આ સમસ્યાનો જલ્દીથી અંત આવવો જોઈએ જેથી વધુમાં વધુ મતદાન થઈ શકે.
તો વળી પ્રથમ તબક્કાના મતદાનમાં ઘણા વાવ વિવાદ પણ સામે આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ સવારમાં જ ધીમા મતદાનની વાકત કરી હતી. ત્યારે હવે ગોપાલની અધિકારી સાથે રકજક થઈ ગઈ છે. વાત જાણે કે એમ છે કે કતારગામ ડભોલી પાસે આવેલા ગાયત્રી મંદિર નજીકના વોટિંગ બૂથ ઉપર મતદાન ખૂબ ધીમું થાય છે એવી ફરિયાદ લઈને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આરોપ નાખવાની સાથે સાથે અધિકારીઓ સાથે ચકમક પણ કરી હતી. ગોપાલ ઇટાલીયાએ અધિકારીઓને ઝડપથી મતદાન પ્રક્રિયા કરાવવા માટે એક રજૂઆત પણ કરી હતી. બૂથ ઉપર ખૂબ ધીમી ગતિથી મતદાન થતા લાંબી તથા લાગી ગઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.