AAPના નેતાને ખેંચતી BJPને ઈશુદાન ગઢવીનો ખુલ્લો પડકાર, કહ્યું- જો આટલું કરી બતાવો તો રાજકારણ છોડી દઈશ

Lok Patrika
By Lok Patrika
Share this Article

ટાઈગર અભી જિંદા હૈ આ ડાયલોગ બોલો એટલે ઈસુદાન ગઢવી યાદ આવી જાય. ત્યારે હવે ફરીથી ઈશુદાને આ ડાયલોગ બોલ્યો છે કે-ટાઈગર અભી જિંદા હૈ, અમે હવે બમણા જોરથી લડીશું. આપમાં આગ છે ગુજરાતની જનતા માટે લડવાની. હાલમાં આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક જે રીતે મોટા નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે એને લઈને આપ નેતા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે અને આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.

પોતાનો મત ગુજરાતની જનતા સામે રાખતા તેઓએ કહ્યું કે-અમે માત્ર કામની રાજનીતિ જ કરીએ છીએ અને અમને રાજનીતિ આવડતી પણ નથી. અમારી લડાઈ બીજી આઝાદી અને સ્વરાજની છે. ગઢવીએ કહ્યું કે-મારા પર ખરાબ અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વાત કરતાં કરતાં ઈસુદાન ગઢવી રડી પડ્યા હતા અને માહોલ એકદમ ભાવુક થઈ ગયો હતો. સાથે જ ઈશુદાન ગઢવીએ ગોપાલ ઈટાલિયા સાથેના વિવાદ વિશે પણ વાત કરી હતી કે એ ખાલી વાતો છે, આવા કોઈ વિવાદ નથી. મારી પાસે એવું શું છે કે વિવાદ થાય? પાટીલને વિજય રૂપાણી સાથે નહોતું ફાવતું એટલે એમને બેસાડી દીધા. વિવાદ તો એમને અંદરો અંદર થાય છે.

ઈસુદાન ગઢવીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે- મારા પર ED અને IT ન પહોંચાડી શક્યા એટલે ખોટા કેસ કર્યા. હું મા મોગલના સોગંધ ખાઈને કહું છું કે મેં દારૂ નહોતો પીધો. સાથે જ ગઢવીએ કહ્યું-પાટીલ ભાઉ લખીને રાખજો ગુજરાતની જનતા સહાનુભૂતિથી અમને મત આપશે. અમે મરીશું ત્યાં સુધી લડીશું અને બીજા લોકોને અમે જોડીશું. AAP ક્યારેય તૂટે નહીં, અમે તો ક્રાંતિ કરવા માટે આવ્યા છીએ. સાથે જ BJPને ચેલેન્જ મારતા કહ્યું કે-હું તો એમ કહું છું કે ભાજપ અમારા જેવી પાંચ પોલિસીઑ કરવામાં આવે તો હું રાજનીતિ છોડવા માટે તૈયાર છું. મારે પાટીલ ભાઉથી કહેવું છે કે કુદરતથી ડરો, સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly