( મિત્તલ મહેતા)વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા અને મોટી બોરુ ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવીન મકાનનું ભૂમિ પૂજન ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૩૫ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, બાંધકામ સમિતિના ચેરમેન ઇશ્વરભાઇ મકવાણા, દંડક લક્ષ્મીબેન ઠાકોર સહિતના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળકા તાલુકાના રનોડા અને મોટી બોરુ ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવીન મકાનનું નિર્માણ થવાથી ગ્રામજનો સહિત આસપાસના ગામના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે તેમ ધોળકાના તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું.