બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપના ઉમેદવાર લાઘુભાઈ પારઘીએ ગ્રામજનોને કહ્યું હતું અને લાલચ આપી હતી કે જો તમે મને જીતાડશો તો તમારે સંતાઈને દારૂનું વેચાણ નહીં કરવુ પડે. હજુ આ વીડિયોની ચર્ચા શરૂ જ છે ત્યારે હવે ફરીથી એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં ભાજપના નેતા એવું કહેતા જોવા મળ્યા છે કે જેને મંદિર બનાવવું હોય તે ભાજપ સાથે રહે અને જેને મસ્જિદ બનાવવી હોય એ કોંગ્રેસ સાથે રહે.
આ નેતાજીનો વીડિયો પણ હવે દરેક ફોનમાં ફરી રહ્યો છે અને લોકો એમને ટ્રોલ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચાર દરમ્યાન અનેક નેતાઓના વિવાદિત નિવેદન સામે આવતા હોય છે. જોકે હવે પાટણના ભાજપ નેતાએ પણ મંદિર મસ્જિદ વિશે નિવેદન આપીને રાજકારણ ગરમાવ્યું છે. ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ડો. રાજુલબેન દેસાઇને ટિકિટ આપી છે. અહીં જુઓ વીડિયો….
આ ઘટના એવી રીતે બની કે ડો.રાજુલબેન દેસાઇના ચૂંટણી પ્રચાર દરમ્યાન એક સભામાં ભાજપના એક નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. કહ્યું હતું કે, જેમને મંદિર બનાવવું છે તે ભાજપ સાથે રહે અને જેમને મસ્જિદ બનાવવી છે તે કોંગ્રેસ સાથે રહે. ત્યારે હવે લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 8 ડિસેમ્બરે જ ફાઈનલ થશે કે પ્રજા કોના પર ભરોસો મુકીને વિજયી બનાવે છે.