રાજ્યમા છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમા પલટો આવ્યો છે.
અનેક વિસ્તારોમા માવઠુ થયુ હોવાના સમાચાર છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો સૌથી મોટી ચિંતામા મૂકાયા છે.
બીજી તરફ વાતાવરણ બદલાતા રોગચાળામા પણ વધારો થતો છે.ભાવનગરમા છેલ્લા બે ત્રણ દિવસથી માવઠુ થઈ રહ્યુ છે.
આ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ ચણા અને ઘઉંના ખેતરમાં તૈયાર થઈ ગયેલા પાકના પાથરા પડ્યા હતા જે આ અચાનક આવેલા વાવાઝોડાનાં કારણે ઉડી ગયા અને પલળી ગયા હતાં.
આ સિવાય કેરીના પાકને મોટુ નુકશાન થયુ છે. ખેતરમા ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે.
જિલ્લાના મહુવા, તળાજા, પાલિતાણા, જેસર, ગારિયાધાર, વલભીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લીંબુ વગેરે પાકોને સૌથી વધારે નુકસાન થયુ હોવાના સમાચાર છે.
શ્રી રામ સિવાય બીજું કોઈ હોળીકા દહન કરશે તો તેનું પણ એવું જ… બસ ત્યાર પછી ગુજરાતના આ ગામમાં હોળી બંધ
આ મુદ્દે હવે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરવાની માંગ કરી છે. પાકોને થયેલા નુકસાનની સહાય આપવા ખેડૂતોએ સરકારને અરજી કરી છે.આ સિવાય જેસર પંથકમાં વાવાઝોડાના કારણે ઘઉંનો ઉભો પાક ઢળી જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.