અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક નફ્ફટ સસરાની અશ્લીલતા હવે ચારેકોર વારયલ થઈ રહી છે. પરિણીતાએ સોશિયલ મીડિયામાં સ્ટે્ટસ મૂકતા સાસરિયાઓએ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જ્યારે તેના સસરા અવારનવાર કોઇપણ ચીજ વસ્તુ લેવાના બહાને શરીરે સ્પર્શ કરીને છેડતી કરતા હતાં. એક જ મહિલા સાથે આવી અનેક હેરાનગતિ થતી હતી અને હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
જો કે આ કેસમાં હદ ત્યારે થઈ ગઈ કે પરિણીતાએ જ્યારે દીકરીને જન્મ આપતા તેના સાસુએ કહ્યું કે, મારે તો દીકરો જોઇતો હતો અને તે દીકરીને જન્મ આપ્યો છે. તેના પતિએ આનો ડીએનએ ટેસ્ટ પણ કરવો છે, તેમ કહીને પરિણીતા પર શંકા વહેમ રાખીને માનસિક ત્રાસ એટલો આપ્યો કે જેની જોઈ સીમા નથી. પરિણીતાને પિયરની યાદ આવી તો તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટ્સ મૂક્યું હતું, જેને લઇને તેના પતિ અને સાસરિયાએ ઝઘડો કરીને કહ્યું કે, તું આવું સ્ટેટ્સ મૂકીને એવું સાબિત કરે છે કે તું અમારી સાથે ખુશ નથી. બસ ત્યારથી જ આ બધી રામાયણ શરૂ થઈ હતી.
વિગતો મળી રહી છે કે જ્યારે જ્યારે પણ પરિણીતાની ભુલ ના હોય તેમ છતાં પગે પડી માફી માંગવી પડી હતી. તું કેમ મારા મમ્મી-પપ્પાનું કહેવું માનતી નથી, તેમ કહીને તેના પતિએ તેને માર માર્યો હતો. પરિણીતા રસોડામાં કામ કરતી હોય ત્યારે તેના સસરા કોઇપણ ચીજવસ્તુ લેવાના બહાને તેના શરીરે સ્પર્શ કરતા હતાં. એમાં પણ હદ તો ત્યારે થઈ ગઈ કે એક દિવસ બપોરના સમયે પરિણીતા ઘરે એકલી હતી ત્યારે તેના સસરાએ તેને ચા બનાવવા માટેનું કહેતા તે ચા બનાવતી હતી. ત્યારે તેના સસરાએ પાછળથી આવીને એકદમ બાથમાં ભરી છાતી દબાવીને ગુપ્તાંગ પર હાથ ફેરવીને આબરું લેવાનો પ્રયાસ કર્યો હતો.
સસરો જ્યારે હેવાન થયો ત્યારે મહિલાએ બુમાબુમ કરતા તે રસોડાની બહાર નીકળી ગયો હતો. જ્યારે તેના સાસુ અને નણંદ ઘરે આવતા તેઓને આ બાબતની જાણ કરતાં તેના સાસુએ તેને ખોટી ઠેરવી અને ઉપરથી એક લાફો મારી દીધો હતો. જ્યારે તેના પતિએ પપ્પા આવું ન કરી શકે, તું જ ખોટી છે, તેમ કહીને ઝઘડો કર્યો હતો. જોકે, પરિણીતા તેના સસરા વિરુદ્ધ ફરિયાદ ન કરે તે માટે તેના સસરાએ માફી માંગીને પ્રોમિસ કર્યું હતું કે, હવે પછી આવું કૃત્ય નહીં કરે. જેથી પરિણીતાએ તે સમયે કોઇ ફરીયાદ કરી ન હતી.
ખાલી આટલા જ વર્ષમાં મુસ્લિમોની વસ્તી 10 ગણી વધી ગઈ, આ દેશમાં મુસ્લિમોની સંખ્યા અચાનક કેમ વધી રહી છે?
આ જગ્યાએ થયો મોટો ચમત્કાર, જમીન ખોદતા મળ્યો 3200 વર્ષ જૂનો સોનાનો ખજાનો, અઘિકારીઓની આંખો ચાર થઈ ગઈ
પરિણીતાને ડિલિવરીમાં પણ સસરા પક્ષ તરફથી એવો જ ત્રાસ આપવામાં આવ્યો હતો. દીકરીને જન્મ આપ્યો હતો. જેથી તેના સાસુએ કહ્યું હતું કે, મારે તો દીકરો જોઇતો હતો. અને તે દીકરીને જન્મ આપ્યો છે. તેના પતિએ આનો ડીએનએ ટેસ્ટ કરવો છે, તેમ કહીને પરિણીતા પર શક વહેમ રાખીને માનસિક ત્રાસ આપ્યો હતો. હવે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે પરિણીતાને ન્યાય મળે છે કે કેમ?