દેવાયત ખવડને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોતે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આજે ખરાબ સમાચાર સામે આવી ગયા કે હાઈકોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી છે અને ખવડને હજુ જેલમાં જ રહેવું પડશે. આ પહેલાં પણ દેવાયત ખવડે જામીન માટે હવાતિયા માર્યા હતા અને અરજીઓ કરી હતી. પરંતુ તેમને નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળી રહી છે.
આ પહેલાં એવા સમાચાર સામે આવ્યા હતા કે જો દેવાયતત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે અને ખખડાવ્યા પણ ખરાં. મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ હાલમાં જેલ હવાલે છે જે છૂટવાની રાહ જોઈ રહ્યો છે. રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો એ વાત કોઈથી છાની નથી.
આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. આ પહેલાં દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
મળતી માહિતી મુજબ આ પહેલાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. હાલ દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે જેમા 2015માં ચોટીલામાં મારામારીના ગુનો, 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ અને ત્યારબાદ આ મામલો સામે આવ્યો છે.