જામજોધપુરમાં માણેક જ્વેલર્સનું નામ માન-સન્માન સાથે લેવામાં આવે છે. વર્ષોથી જ્વેલર્સના બિઝનેસમાં પોતાનો દબદબો બરકરાર રાખનાર આ ગૃપ માત્ર બિઝનેસ કરવામાં જ આગળ છે એવું નથી. સેવા અને દાનના કામમાં પણ માણેક જ્વેલર્સ અને સંજયભાઈ રાણીંગાનું નામ અવ્વલ નંબરે જ આવે છે.
ત્યારે હાલમાં જ માતાજીની ઉપાસવાનો તહેવાર નવરાત્રિ પુરો થયો અને લોકોએ ઉમળકાભેર આ તહેવાર ઉજવ્યો.
નવરાત્રિમાં કન્યાનું પૂજન અને દાનનું અનેરું મહત્વ છે. એમાં પણ જ્યારે વાત સૌરાષ્ટ્રની આવે તો તો દાનમાં હંમેશા આગળ જ હોય.
ત્યારે સંજયભાઈ રાણીંગા માણેક જ્વેલર્સ દ્રારા પણ આ નવરાત્રિએ વિશેષ દાન આપવામાં આવ્યું છે.
ભાણવડ સગર કન્યા છાત્રાલયની તમામ 111 દીકરીઓને માણેક જ્વેલર્સ દ્વારા એક એક ચાંદીની રાધા કૃષ્ણની મૂર્તિનું દાન આપવામાં આવ્યું છે.
આ એક મૂર્તિનો ભાવ અંદાજે 900 રૂપિયા જેટલો છે.
ત્યારે છાત્રાલયમાં દાનના આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ હતી.
મૂળુભાઈએ પણ આ દાનની પ્રવૃતિને વધાવી અને વખાણી હતી. તેમજ સગર સમાજની દરેક દીકરીઓના મુખ પર પણ સ્મિત રેલાયું હતું.