આમ આદમી પાર્ટી પહેલાથી જ કહી રહી છે કે તે રાજનીતિ કરવાલ નહીં રાજનીતિ બદલવા આવ્યા છીએ. પરંતુ હકીકતમાં એવું કઈ નજરે પડી રહ્યું નથી. કારણ કે હાલમાં એક ઘટના સામે આવી છે એમાં જોવા મળ્યું છે કે AAP નેતા મનહર પરમારની પત્ની ઇન્દુમતીબેન પરમાર કે જેઓ સસ્તા અનાજની દુકાનની સંચાલિકા છે તેણે મોટું કૌભાંડ આદરી નાખ્યું છે. તેઓએ અનાજનો જથ્થો સગેવગે કરીને હવે ભેખડે ભરાયા છે. સસ્તા અનાજની દુકાનમાં ઉચાપતના ગંભીર કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આમ આદમી પાર્ટીના નેતાની પત્નીને 5 વર્ષની સજા પણ ફટકારી દીધી અને મોટા દંડનો હુકમ કર્યો છે.
આ સાથે જ માહિતી મળી રહી છે કે શહેરના વસંત મિલની ચાલમાં ઇન્દુમતીબેન સસ્તા અનાજની દુકાન ચલાવે છે. વ્યાજબી ભાવની દુકાન ચલાવતા મહિલા સંચાલિકા સરકારી ઘઉં, ખાંડ, કેરોસીન કે તેલનો જથ્થો ગરીબ રેશનકાર્ડ ધારકોને આપવાને બદલે કોઈ બીજાને પૈસા વધારે લઈને આપી દેતા. વર્ષ 2008માં સરકારી અનાજનો જથ્થો કાર્ડ ધારકોને નહીં આપીને બિન અધિકૃત વ્યક્તિઓને આપવાનું આ પાપ કરવા બદલ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ બધી વાત બહાર આવી હતી. જેમાં ખૂબ મોટી રકમની ઉચાપતનો મામલો પણ હાલમાં સામે આવ્યો હતો. સાથે જ AAP નેતાની પત્ની સંચાલિકા વ્યાજબી ભાવની દુકાનના સ્ટોકના ખોટા દસ્તાવેજો અને ખોટા બિલો બનાવીને તેનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.
શૈલેષ લોઢા ખાલી ખોટી હવા કરે છે, પાયા વિહોણા આરોપો પર તારક મહેતા… શોના મેકર્સે જણાવી અસલી હકીકત
આપણે અહીં બજેટ અને ઈન્કમ ટેક્સ પર હાહો-હાહો કરીએ અને આ 12 દેશમાં કોઈને ઈન્કમ ટેક્સ આપવો જ નથી પડતો
B ડિવિઝનમાં ગુનો નોંધાતા જે-તે સમયે તપાસ અધિકારીએ આ સંચાલિકા સામે પૂરતા પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આથી, ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 8103/2008 નોંધાયો હતો. આ સાથે જ જેમા આકરી કાર્યવાહી કરીને ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ સમાજમાં દાખલો બેસાડવા તેમજ આ પ્રકારના અન્ય ગંભીર ગુના ન બને તે માટે સસ્તા અનાજની મહિલા સંચાલિકાને 5 વર્ષની સજા અને રૂ. 29 હજારના દંડનો હુકમ કર્યો હતો. ત્યારે હવે આ વાતની ચર્ચા રાજકીય ગલીઓમાં ચારેકોર થઈ રહી છે.