ભવર મીણા ( પાલનપુર ): ચોમાસુ આગામી દિવસો માં બેસશે તેવી આગાહી તારીખો સાથે હવામાન વિભાગ દ્વારા કરવા માં આવી રહી છે. પરંતુ ચોમાસુ ગયું છે…ક્યાં અને ઉનાળો આયો છે ક્યાં… તે એક સવાલ લોકો માટે બની ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો માથે આકાશી આફત આવી જતા ધરતી પુત્રો પાયમાલ થઈ ગયા છે તો બીજી બાજુ સર્વે ની કામગીરી માત્ર કાગળ પર ચાલતી હોય તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
જિલ્લામાં તાજેતરમાં વાવાઝોડા સાથે વરસાદ તુટી પડતાં લોકોના ઘરો ના છાપરા પાતરા ઊડી ગયા હતા તે ઉપરાંત વીજ લાઈનોને મોટા પાયે નુકશાન થયું હોવાથી કેટલાક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
હજી ખેડૂતો અને વીજ કંપની રિપેર કરે તે પહેલાં ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો
‘ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાનું અસલી કારણ ખબર પડી ગઈ’, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું મોટું નિવેદન
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ,અમીરગઢ,પાલનપુર,ધાનેરા, થરાદ વિસ્તારો માં પવન ના સૂસવાટા અને વીજળી ના ચમકારા તેમજ કરા સાથે વરસાદ તુટી પડતાં ખેડૂતોના માથે નુકશાની નો બોજો વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે વરસાદ અને વાવાઝોડું ફુંકાયું હોવાથી કેટલાક ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો.