ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ રાજ્યના અલગ-અલગ શહેરોમાં મનપા દ્વારા જાહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ પશુ પકડવા જતા મનપાની ટીમે અને પોલીસે પશુપાલકોના ભોગ પણ બનવું પડે છે. ત્યારે ગાંધીનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે.ગાંધીનગરમાં ખુલ્લેઆમ પશુમાલિકોની દાદાગીરી સામે આવી છે.
ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુમાલિકોની પોલીસકર્મી સાથેની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસની નજર સામે જ મહિલાઓ પકડેલા પશુને છોડાવી ગઈ. એક તરફ રાજ્યની જનતાને જ્યારે રખડતા ઢોરના ત્રાસથી બચાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા છેલ્લા ૩ દિવસથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જનતા માટે કામ કરી રહેલા પોલીસકર્મી પણ બિરદાવે છે.
ત્યારે પોલીસકર્મીઓ અને તંત્ર સામે પશુમાલિકોની ખુલ્લેઆમ જાેવા મળતી આ દાદાગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. જાે પોલીસ અને તંત્ર જનતાની સલામતી માટે સરાહનીય કામગીરી કરી રહ્યું છે ત્યારે પશુપાલકોની આ દાદાગીરી કેવી રીતે ચલાવી લેવાય? પોલીસ સાથે આ પ્રકારે ખુલ્લેઆમ દાદાગીરી કરનાર સામે કેમ કાર્યવાહી ન થાય? પોલીસ સાથે ગેરવતર્ણૂક કરનાર પશુમાલિક સામે કાયદાકીય કાર્યવાહી ક્યારે? રખડતા ઢોરને ઢોર પાર્ટીએ પકડ્યું તો પશુમાલિક તેને કેવી રીતે છોડાવી શકે?