Breaking: શિક્ષણ જગતના મોટા સમાચાર, વિધાનસભા ચૂંટણી પહેલા જ જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણય, હજારો શિક્ષકો જેની રાહ જોતા’તા એ થઈ ગયું!

Lok Patrika
By Lok Patrika
Share this Article

જો તાજેતરની જ વાત કરીએ તો એક સપ્તાહ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતીને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો. જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, ‘આવનારા સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ત્યારે હવે બીજી એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની અનુદાનિત શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરવામાં આવી છે. વર્ષ 2022-23 માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિધાર્થીઓની સંખ્યા શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવી છે. જેના લીધે શિક્ષકોને મોટો ફાયદો થશે. કારણ કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યમાં ફાજલ થતા શિક્ષકો અટકશે અને એ પરિવારમાં હાલમાં મોટી ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

માહિતી મળી રહી છે એ પ્રમાણે વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અનુદાનિત શાળામાં 42+25 વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ છે. જે અગાઉ શહેરી વિસ્તારમાં વર્ગમાં 60+42ની સંખ્યા હતી. ગ્રામ્ય વિસ્તારમાં 60-24ની જગ્યા 42-18 વિધાર્થીઓની સંખ્યા નિયત કરી દેવાઇ. આથી, શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 1574 વર્ગનો ઘટાડો અટકશે. TET પરીક્ષાને લઇને પણ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ. આથી આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.’

સાથે જ વાઘાણીએ જાહેરાત કરી કે આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.’


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly