ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને આ બાદ જેમને વા નેતાઓ પાર્ટીથી નારાજ થયા છે. નારાજગીના વધિ એક સમાચાર કુતિયાણા બેઠકર્થી સામે આવી રહ્યા છે. અહી છેલ્લી 2 ટર્મથી NCPના ધારાસભ્ય તરીકે કાંધલ જાડેજા હતા. હવે સમાચાર સામે આવ્યા છે કે ટિકિટ ન મળતા તેમણે NCPમાંથી રાજીનામું આપી દીધું છે.
આ બાદ એવા એંધાણ છે કે કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. માહિતી મુજબ આ વખતે કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું પણ પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામા નથી આવી જેથી કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. હવે સમાચાર છે કે આજે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષમા ફોર્મ ભરી શકે છે.
કાંધલ જાડેજા અંગે વિગતે વાત કરીએ તો તેઓની છાપ સૌરાષ્ટ્રના દબંગ નેતા તરીકે છે. કૌટુંબિક ઈતિહાસ પણ રાજકારણ સાથે જોડાયેલો છે. તેમના પિતા સરમણ મુંજા જાડેજા, માતા સંતોકબેન જાડેજાનુ સૌરાષ્ટ્ર મોટુ નામ છે. તેઓ રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલ ધારાસભ્ય છે અને આ અગાઉ તેમના પરિવારના સભ્યો આ બેઠક પર ધારાસભ્ય રહી ચુક્યા છે.
કાંધલ જાડેજાની રાજનીતીક સફર અંગે વાત કરીએ તો તેઓ પ્રથમ વખત 2012માં એનસીપી માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્રણ ટર્મથી જીત નોંધાવી રહ્યા છે. આ સાથે 2017માં કાંધલ જાડેજા ચર્ચામા રહ્યા હતા કારણ કે તેમણે 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય
આપ્યો હતો.