ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ નેતાઓની પાર્ટી બદલવાની મૌસમ પણ પુરબહારમાં ખિલી છે. સૌરાષ્ટ્ર ઝોનના ૬થી વધુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાેડાવાની તૈયારીઓ કરી રહ્યા હોવાની ચર્ચાએ ફરી એકવાર જાેર પકડ્યુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા સી.આર.પાટીલે ઓપરેશન કર્યું છે. જેમાં કોંગ્રેસના ૬ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી છે.
તો કોંગ્રેસના આ ૬માંથી ૩ ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે. લલિત વસોયા, ચિરાગ કાલરિયા, હર્ષદ રિબડિયા, મહેશ પટેલ, સંજય સોલંકી અને ભાવેશ કટારાએ પાટીલ સાથે બેઠક કરી છે. તમામ ધારાસભ્યો ગમે તે સમયે કેસરિયા કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપ હાઇકમાન્ડમાંથી લીલીઝંડી મળ્યા બાદ કેસરિયા કરશે. આ ૬ ધારાસભ્યો પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હોવાનું જણાઇ રહ્યું છે.
હાલ આ ૬ ભાજપમાં જાેડાવાની શક્યતાઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ફ્ફ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ હું કોંગ્રેસમાં છું, આજની તારીખ સુધી કોંગ્રેસમાં છું. હાર્દિક પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલનું ઉદાહરણ આપતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું હાલ કોઈ નિવેદન આપીશ તો આવનારા સમયમાં પડકાર ઉભો થઇ શકે છે. સોશિયલ મીડિયામાં જૂની ક્લિપ વાયરલ થાય છે. અત્યારે કંઇ કહું તો હાર્દિક પટેલ જેવું થાય…
આ ૬ ધારાસભ્યો ભાજપમાં જાેડાઇ શકે છે
ચિરાગ કાલરીયા – જામજાેધપુર
હર્ષદ રીબડીયા – વિસાવદર
સંજયભાઈ સોલંકી – જંબુસર
મહેશ પટેલ – પાલનપુર
ભાવેશ કટારા – જાલોદ
લલિત વસોયા – ધોરાજી
૨ પૂર્વ નેતા પણ ભાજપમાં જાેડાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કોંગ્રેસના બે પૂર્વ નેતા રાજુ પરમાર અને નરેશ રાવલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓ ભાજપમાં જાેડાય તે પહેલા ઁસ્ને મળ્યા છે. બંને નેતાઓ ૧૭ ઓગસ્ટે ભાજપમાં જાેડાશે. ગુજરાતના રાજકારણની વાત કરીએ તો છેલ્લી એક આખી પેઢી એવી આવી છે જેણે માત્ર તેમના જીવન દરમિયાન માત્ર એક જ પક્ષનું શાસન ગુજરાતમાં જાેયું છે.
કારણકે ૨૫ થી પણ વધુનો સમય પસાર થઇ ગયો જેમાં ગુજરાતમાં ભાજપનું એેકહથ્થુ શાસન છે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની કારી ફાવી નથી. કોંગ્રેસે પ્રયાસો કર્યા હશે પણ જનતાની વચ્ચે વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવામાં સફળતા હાથ લાગતી નથી.
વાત વિધાનસભાની હોય, લોકસભાની હોય, નગરપાલિકાઓની કે તાલુકા જિલ્લા પંચાયતોની. ભાજપે જીતનો સપાટો બોલાવ્યો છે અને કોંગ્રેસને મોટેભાગે કારમી હાર પ્રાપ્ત થઇ છે. છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે ૨૦૧૭માં કોંગ્રેસે ફાઇટ આપી હતી ભાજપને અને ભાજપના પરિણામોને બે આંકડામાં લાવી દીધા હતા. પણ બેશક જીત તો જીત છે, ભાજપ ૯૯માં સમેટાયું પણ જીત મેળવી હતી. પણ ત્યારથી જનતાએ સતત પક્ષપલટાની મોસમ જ જાેઇ છે.