વડાપ્રધાન મોદી ઝૂલતા પુલનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાને હર્ષ સંઘવી પાસેથી પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી તો વળી ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા હતા. ધ્રાંગધાના સવિતાબેન બારોટને સિવિલમાં પીએમ મોદી મળવા જવાના છે. સવિતાબેન વિશે વાત કરીએ તો પુલ પડ્યો ત્યારે સવિતાબેન અને તેમના મામી અને તેમના 3 દીકરા પુલ પર જ હતા. સવિતાબેનના મામી કમળાબેન બારોટનું મોત થયું હતું.
પુલ પડતા સવિતાબેનના માથામાં ગંભીર ઈજા પણ પહોંચી છે. અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. PM મોદી થોડીવારમાં મૃતકોના પરિવારજનોને પણ મળવા જવાના છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા જેને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટનાના બીજા દિવસે 50થી વધુ બાળકો સહિત 134 મૃતદેહ બહાર કઢાયા હતા. નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી હતી. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ હતી.