લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને આ વખતે તો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈએ તો ખ્યાલ આવે છે કે દેવાયત ખવડ કોઈ જૂની દુશ્મની કાઢી રહ્યા છે. સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણાને જાનથી નખવાનો કર્યો પ્રયાસ કરતા દેવાયત ખવડ આ વખતે ચારેકોરથી વિવાદમાં સપડાતા જોવા મળી રહ્યા છે. આમ તો સ્ટેજ પરથી કંઈક બોલીને વિવાદમાં આવતા રહેતા દેવાયત ખવડ આ વખતે જાનથી મારી નાખવાની ધમકીના વિવાદમાં આવ્યા છે.
https://www.instagram.com/reel/Cl3QZ8dDG3w/?igshid=NWQ4MGE5ZTk%3D
ખાસ ખબર દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે તમે અહીં જોઈ શકો છો..
https://youtu.be/e5Z1cysvxu4
તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મયુરસિંહ રાણા રસ્તા પર ચાલ્યા જાય છે. કાર આવે છે અને એમાંથી દેવાયત ખવડ અને એમની સાથે એક બીજા યુવાન પણ નીચે ઉતરે છે. માત્ર 5 જ સેકન્ડમાં દેવાયત ખવડ 16 ફટકા મારે છે અને મયુરસિંહ રાણાને ઢોર માર મારે છે. પછી તેઓ કારમાં બેસી પરત જતા રહે છે. હવે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જો કે લોક પત્રિકા આ વીડિયોની કે ઘટનાની પુષ્ટિ કરતું નથી.
આ સાથે જ માહિતી મળી રહી છે કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોચ્યો હોવાની પણ વિગતો મળી રહી છે. તો વળી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
https://www.facebook.com/vtvgujarati/videos/1103136740398633
પહેલાની વાત કરીએ તો કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે છેલ્લા થોડા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યુ હતું. ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે ધર્મ સ્થાનક બન્ને વચ્ચે સમાધાન કરાવી દીધું હતું. બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ ‘મર્દાનગી અને માયકાંગલા’ મુદ્દે વિવાદ થયો અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરી હતી અને જે બાદ દેવાયત ખવડે તેનો જવાબ આપ્યો હતો તે હવે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ વિવાદ વિશે વિગતે વાત કરીએ તો રૂપલમાં જન્માષ્ટમી પર લોકડાયરામાં બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ‘રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ’. ‘એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.’
આ બાદ શનિવારે અમદાવાદના ધોળકામા ગણપતિ મંદિરે લોકડાયરામા દેવાયત ખવડ, અલ્પા પટેલ, દીગુભા ચુડાસમા અને સાગદાન ગઢવી પહોંચ્યા હતા. આ દરમિયાન દેવાયત ખવડે બ્રિજરાજદાને કહેલી વાતનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય’. હવે આ તમામ વિવાદનો અંત એક ધર્મ સ્થાનક માધ્યમે આવી ગયો છે. જો કે ત્યાં તો આ ફરી એક નવો વિવાદ દેવાયત ખવડ પર આવીને ઉભો રહ્યો છે.