BREAKING: દેવાયતની ગુનાહિત કુંડળીઓ તો લાંબી છે, પોલીસે ખુદ દેવાયતને જામીન ન આપવા અંગે આખું સોગંદનામું તૈયાર કરી નાખ્યું

Lok Patrika
By Lok Patrika
Share this Article

કલાકાર દેવાયત ખવડ હવે બરાબરનો ભેરવાયો છે. કારણ કે પોલીસ આકરાં પાણીએ આવી ગઈ છે. કુલ મળીને વાત કરીએ તો દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંના એક ગંભીર ગુનાની નોંધ છે. 2015માં ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તો 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મહત્વનું છે કે, આવતીકાલે દેવાયત ખવડની આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ત્યારે દેવાયત ખવડની આગોતરા જામીન મુદ્દે પોલીસ એક્શનમાં આવતા પોલીસે દેવાયતને જામીન ન આપવા અંગેનું સોગંદનામું તૈયાર કર્યું છે. પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં દેવાયતની ગુનાહિત કુંડળીઓનો ઉલ્લેખ કરાયો છે.

છેલ્લા કેટલાંક દિવસથી દેવાયત ખવડ ફરાર છે. ત્યારે હવે આ લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઇને પોલીસ તાબડતોડ મોટા એક્શનમાં આવી છે. જો કે ગઈકાલે લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં હતા કે દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. એની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે એટલે કે આવતી કાલે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને જોવાનું એ રહ્યું કે શું થાય છે.

છેલ્લા 8 દિવસથી એક મુદ્દો ભારે ગાજી રહ્યો છે. પરંતુ તેનું કોઈ સમાધાન આવ્યું નથી. રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કર્યો હતો અને યુવકને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યારપછી દેવાયત ખવડ ભાગી ગયો છે અને ફરાર છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના પણ આ દિવસોમાં આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આ મામલે DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને ખળભળાટ મચી ગયો છે.

DCP ઝોન-2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, પીડિતના પરિવારજનો આજે રજૂઆત માટે આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં આરોપીને પકડવા માટે જે કંઈ કામગીરી કરવામાં આવી છે, પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તે અંગે તેમને(પીડિતના પરિવારને) માહિતગાર કરવા આવ્યા હતા. સાથે જ આગળની પોલીસ દ્વારા કરવામાં આવનાર કાર્યવાહીની પણ તેઓને સમજ આપવામાં આવી છે. પીડિતના પરિવારની રજૂઆત છે તેની નોંધ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. તો વળી આરોપીના ઠેકાણા પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે તેમના લાગતાવળગતા લોકોના નિવેદન પણ નોંધ્યા છે. હાલ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ આરોપી પકડવા માટે પ્રયત્નશીલ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly