રાજ્યમાં લમ્પી વાયરસ ધીમેધીમે પગપસારો કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે વાયરસ ઉઅતર ગુજરાતમા પણ ફેલાઈ રહ્યો છે. લમ્પી વાયરસના કારણે બનાસકાંઠામાં વધુ 12 પશુઓના મોત થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. આમ કુલ મૃત્યુઆંક 63 થઈ ગયો છે. મળતી માહિતી મુજબ વધુ 24 ગામના પશુઓ વાયરસની ઝપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમા બનાસકાંઠામા 1 લાખ 25 હજાર 58 પશુઓનું રસીકરણ કરવામા આવ્યુ છે.
આ અંગે માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યુ છે કે રાજ્યના 20 જિલ્લાના 1935 ગામોમાં લમ્પીના કેસો નોંધાયા છે અને 1431 પશુઓ મોત થયા છે. ગુજરાતમાં કુલ 8.17 લાખ પશુઓમાં વેક્સિનેશનનુ કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. રાજયમા સૌથી વધુ કચ્છમાં 37414 પશુઓ વારયસ નોંધાયો છે.
આ સિવાય આણંદમાં પણ લમ્પી વાયરસે 30 થી વધુ પશુઓમાં દેખાડો દીધો છે. બોરસદમાં 10, પેટલાદમાં 11 અને ખંભાતમાં 9 પશુઓ શંકાસ્પદ લક્ષણો સામે આવ્યા છે. આ સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ, જામનગરમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે.
*લમ્પી વાયરસથી પશુઓને બચાવવા આ વાતોનુ રાખો ખાસ ધ્યાન:
- જો કોઈ પશુ બીમાર હોય તેને સ્વસ્થ પશુઓથી અલગ રાખવુ અને પશુઓના રહેઠાણની જગ્યા સ્વચ્છ રહે તેની કાળજી રાખવી. આ માટે જરુર મુજબ પશુઓના રહેઠાણને માખી,મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો જોઇએ.
ખાસ કરીને લમ્પીથી બકહવા પશુઓનુ રસીકરણ કરાવવુ અને વધુ માહિતી માટે
પશુપાલકે ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરવો.