શહેરના સારોલી વિસ્તારમાં બજરંગ દળ અને હિન્દૂ તરફી પોસ્ટ મુકતા અદાવત રાખી મજહર અને અબ્બાસ નામના સહિતના શખ્શોએ બજરંગદળના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા વાતાવરમ તંગ બન્યું છે. ઘાયલ કાર્યકર્તાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પુણા પોલીસે તપાસ આરંભી.
સુરતમાં ફરી ધંધુકા વાળી ઘટનાનું પુનરાવર્તન જાેવા મળ્યું હતું. બજરંગ દળ અને ફૐઁની હિન્દૂ તરફી પોસ્ટ મુકવાના મામલે અદાવત રાખી બજરંગ દળના ૩ કાર્યકર્તા ઉપર સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગની માર્કેટ નજીક જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
લોકોને જાણકારી મળતા જ હિન્દુ સંગઠન મોટી સંખ્યામાં સારોલી વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. વિગતે વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાં ધંધુકામાં જે રીતે હિંદુ મુસ્લિમ સંગઠનો આમને સામને આવી જતા રાજ્યનું વાતાવરણ તંગ બન્યું હતું, તે જ પ્રકારની ઘટના સુરતના સારોલી વિસ્તારમાં બનતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના સરોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગીની માર્કેટ નજીક મોડી સાંજે બજરંગ દળના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં કાર્યકર્તાઓ શ્યામ નારાયણ મિશ્રા, અરવિંદ મિશ્રા અનેપરાગ દત્ત મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. હિન્દુ સંગઠન બજરંગ દળ અને હિન્દૂ તરફી પોસ્ટ મુકતા વિવાદ સર્જાયો હતો, આ વાતની અદાવત રાખીને કેટલાક લોકો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, પણ વ્યાપારીઓ અને હિન્દુ આગેવાનો દ્વારા બાબતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી ન હતી, પરંતુ આજે મોડી સાંજે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘાયલ કાર્યકર્તાઓનો આરોપ છે કે, મજહર અને અબ્બાસ નામના શકશો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે. તેમણે કહ્યું, હિન્દુ આગેવાનોમાં બડા હિન્દૂ નેતા બનકર ઘુમતા હે એમ કહી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાની માહિતી મળતા હિન્દુ સંગઠનો સાથે કાપડ વેપારીઓ પણ મોટી સંખ્યામાં રોડ પર ઊતરી આવ્યા હતા, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.