પ્રહલાદ પૂજારી (અંબાજી )
ગુજરાત અને રાજસ્થાનની સરહદે શકિતપીઠ અંબાજી મંદિર આવેલું છે.જ્યા મા અંબાનું ભવ્ય મંદીર આવેલું છે આ મંદિર ખાતે માઇ ભકતો મોટી સંખ્યામા માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને કેટલાક માઇ ભકતો મંદિર ખાતે પોતાની કિંમતી વસ્તુ ભૂલી જતા હોય છે જેમા અહિ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ આવી વસ્તુઓ પરત કરી સુંદર કામગીરી કરી રહ્યા છે.
2 જાન્યુઆરીના સાંજના સાડા સાત વાગ્યાના સમયે અંબાજી મંદિર ખાતે લગેજ કેન્દ્ર પાસે એક ભાવિક ભક્તનુ લેડીઝ પર્સ પડી ગયેલ હતુ, જે ફરજ પરના સુરક્ષા જવાન GISFSના ગાર્ડ – મહેન્દ્ર મોહનલાલ સોલંકીને મળી આવ્યું હતું, જેમા રોકડ રૂ. ૮૬૭૦/- તથા એક એટીએમ કાર્ડ અને ૨ વીંટીઓ હોવાનુ જાણાતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર PSI આર.કે.વાણિયા સાહેબ પાસે જમા કરાવ્યું હતું. આ બાબતે મંદિરમા જાણ પણ કરવામાં આવી હતી, તેમજ મંદિરના ફરજ બજાવતા તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISFના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામને જાણ કરવામા આવી હતી. મુળ માલિક ટીટવાલા કંલ્યાણ ( મુંબઇ) ના રહેવાસી – યશોદાનારાયણ મોરકુટે ની શોધ ખોળ કરી રોકડ રૂ. ૮૬૭૦/-અને બાકીની વસ્તુ સાથેનુ પર્સ સહી સલામત તેમને પરત આપીને ખુબજ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.