રાજ્ય સરકાએ એક એવો નિર્ણય લીધો છે જે બાદ ખેડૂતો ખૂબ જ ખુશ છે. આ નિર્નયથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. મળતી માહિતી મુજબ ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો થઈ શકે છે. આ માટે રાજ્યના ખેડૂતો માટે ભાવપંચની બેઠક મળી હતી જેમા ખેતપેદાશોના ભાવ અને ટેકાના ભાવ માટે ભલામણ કરવામાં આવી હતી.
ખરીફ પાકના ટેકા માટે કેન્દ્રને ભલામણ કરાઈ હોવાના સમાચાર પણ છે. આ સિવાય મગફળીના ક્વિંટલદીઠ 7500 રૂપિયાની ભલામણ, અડદના ક્વિંટલદીઠ 8800 રૂપિયાની ભલામણ, મગના ક્વિંટલદીઠ 9300 રૂપિયાની ભલામણ કરવામા આવી છે.
દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી ખળભળાટ! અમદાવાદથી પ્લેન ઉડાન ભરવાનું હતું ત્યારે અચાનક…
બધું જ પડતું મૂકીને બુધવારે સવારે સૌથી પહેલા કરો આ કામ, 100 ટકા સારા સમાચાર મળશે
ફેબ્રુઆરીમાં આ રાશિના લોકોના લગ્ન પાક્કું થઈ જશે, કમ સે કમ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ તો મળી જ જશે!
આ સાથે તુવેરના ક્વિંટલ દીઠ 8000 રૂપિયાની ભલામણ, મકાઈના પ્રતિ ક્વિંટલે રૂ.4500ની ભલામણ, ડાંગરના ક્વિંટલદીઠ રૂ.2750ની ભલામણ, બાજરીના પ્રતિ ક્વિંટલ 3200 રૂપિયાની ભલામણ, જુવારના ક્વિંટલ દીઠ 5400 રૂપિયાની ભલામણ, કપાસના 8300 રૂપિયા ટેકાના ભાવ માટે ભલામણ, તલના ક્વિંટલદીઠ 10,530 રૂપિયાની ભલામણ કરવામા આવી છે.