લોકડાયરામાં રૂપિયાના વરસાદ અને ફાયરિંગની ઘટના વધી રહી છે. આવી જ એક ઘટના અંકલેશ્વરના કાપોદ્રા ગામેથી સામે આવી છે. અહી આવેલા ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલનનુ આયોજન થયુ હતુ જેમા કીર્તિદાન ગઢવી, ઋષિ અગ્રવાલ, દિલીપ પટેલ અને જિજ્ઞેશ બારોટ અને સી. આર. પાટિલ પણ હાજ્ર રહ્યા હતા. ભજનોની રમઝટ વચ્ચે અહી રાત્રે નોટોના વરસાદ અને હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયુ હતુ.
મળતી માહિતી મુજબ આ ફાયરિંગ કરનાર આ શખસનું નામ વિક્રમ ભરવાડ છે. આ સંમેલનમાં શાંતિ પ્રિય સ્વામિનારાયણ સંપ્રદાયનુ હતુ અને તેના લોકડાયરામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. હવે ફાયરિંગની ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ, હિન્દુ ધર્મ સેના, ઋષિકુલ ગૌધામના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ હાજર હતા. આ સાથે પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા જ્યા રક્તદાન થકી પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની તુલા પણ કરવામાં આવી હતી. જો કે જ્યારે ફાયરિંગ થયુ ત્યારે પ્રદેશ અધ્યક્ષ હાજર હતા નહી.