ભાવનગરથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના મહુવા તાલુકાના કાટીકડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં લગાવવામાં આવેલા ઝાટકા મશીનથી વીજકરંટ લાગતા 3 વિદ્યાર્થીના મૃત્યુ થયા છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભાવનગરમાં વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યાંના સમાચાર વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે.
જેવી જ આ ઘટનાની જાણ થતાં મહુવા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે અને વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે અને આ ઘટનામાં કોની બેદરકારીથી વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે.
આકાશ અંબાણીની સાળી છે સુંદર અને સ્લાઈલિશ, હોટ તસવીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશો
મોજમાં આવીને કોઈ છોકરીને ધરાર રંગ ન લગાવતા, બાકી આવતી હોળી સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે
સત્યનારાણય મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહની ચારેકોર ચર્ચા, જાણો કોણ છે નિમાયત અને રાહુલ શેખ
જો કે એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શાળાએથી ઘરે જતી વખતે 3 વિદ્યાર્થીઓને વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી કરંટ લાગ્યો હતો. જો કે સાચુ કારણ હજુ તપાસ બાદ જ જાણવા મળશે. આ સાથે જ ગયા મહિને બોરસદમાં વીજકરંટ લાગતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું. બોરસદના કિંખલોડ ગામમાં બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો, ત્યારે કેળની વાડીમાં લગાવેલા 24 વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હતું.