સારુ થયું ઝડપાઈ ગયો નહીંતર નૂપુર શર્માના રામ રમી જાત… રશિયામાંથી ઝડપાયેલ આત્મઘાતી હુમલાખોરે કર્યો ભયંકર ખુલાસો

Lok Patrika
By Lok Patrika
Share this Article

રશિયા ખાતે અટકાયતમાં લેવાયેલ ઈસ્લામિક સ્ટેટ જેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) તરીકે ઓળખવામાં આવે છે, તે આત્મઘાતી હુમલાખોરને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની હત્યા માટે એકમાત્ર કામ સોપવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, ૧૯૯૨માં જન્મેલા આઝમોવને તુર્કીમાં આઈએસદ્વારા ભરતી કરવામાં આવ્યો હતો અને તેને અહીં તાલીમ આપવામાં આવી હતી. આઝમોવનું માનવું છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે તેથી તેને ખતમ કરી દેવી જાેઈએ. યોજના હેઠળ તેને ભારતીય વિઝા મેળવવા માટે રશિયા મોકલવામાં આવ્યો હતો.

સુત્રોએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી પહોંચતા જ તેમને સ્થાનિક સ્તરે મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આઝમોવે ખુલાસો કર્યો હતો કે, તે ઓનલાઈન કટ્ટરપંથી બની ગયો છે અને ૈંજીૈંજીના કોઈ પણ નેતાને મળ્યો નથી. તેને ઓપરેશનના બીજા તબક્કા હેઠળ રશિયા મોકલવામાં આવ્યો હતો. એક વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ૨૭ જુલાઈના રોજ ભારતને રશિયામાં ધરપકડ કરાયેલા હુમલાખોર અંગે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ભારતને કહ્યું હતું કે, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ૨ આત્મઘાતી હુમલાખોરો ભારતમાં આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યા છે. તેમાંથી એક તુર્કીમાં સ્થિત હતો.


ભારતને કહેવામાં આવ્યું હતું કે, તેઓ રશિયાના માર્ગે આવશે અને આવેદન ઓગસ્ટમાં મોસ્કો ખાતે દૂતાવાસ અથવા અન્ય કોઈ વાણિજ્ય દૂતાવાસમાં જશે. આ વિગતો ભારત દ્વારા રશિયા સાથે શેર કરવામાં આવી હતી. ત્યાર બાદ રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) દ્વારા આઝમોવની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ભારતીય એજન્સીઓને ઈનપુટ મળતાની સાથે જ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એનેટવર્કની કમર તોડવા માટે દેશભરમાં બેઠકો યોજી હતી. ત્યાર બાદ એજન્સીએ આઈએસવિરૂદ્ધ સતત કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ બે દિવસમાં ઓછામાં ઓછા ૩૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.


રશિયન સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વાત પ્રસ્થાપિત કરવામાં આવી છે કે એપ્રિલથી જૂન ૨૦૨૨ની અવધિમાં એક વિદેશી નાગરિકની આઈએસએ તુર્કીમાં એક આત્મઘાતી હુમલાખોરના રૂપમાં ભરતી કરવામાં આવી હતી. ટેલીગ્રામ માધ્યમથી દૂરસ્થ સ્વરૂપમાં અને ઈસ્તાંબુલમાં અંગત મીટીંગો દરમિયાન આતંકવાદી સંગઠનના એક પ્રતિનિધિ દ્વારા કટ્ટરપંથી ઉપદેશ માટે તાલીમ આપવામાં આવી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly