Politics News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે ઘણી કડક શરતો પણ લગાવી છે. કેજરીવાલને વચગાળાના જામીન આપતા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જાય.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે કેજરીવાલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ વિના કોઈપણ સરકારી ફાઇલ પર હસ્તાક્ષર નહીં કરે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે.
ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરે, જો ઉછેરી ન શકો તો 4 અમને આપો, શીખોને કરવામાં આવી અજીબ અપીલ
ભાજપ શા માટે 400થી વધારે સીટનો દાવો કરી રહી છે? 2019માં હારી ગયેલી અડધી બેઠકો જીતવાનો વિશ્વાસ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં તેમની ભૂમિકા અંગે કોઈ ચર્ચા કરશે નહીં કે કોઈ નિવેદન કરશે નહીં. આ સાથે, અરવિંદ કેજરીવાલ કોઈપણ સાક્ષીઓ સાથે વાતચીત કરશે નહીં અને/અથવા કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઈલો સુધી પહોંચશે નહીં.