ફરી એકવાર લોકોને આશા હતી એમ જ યુપીમાં યોગીરાજ નક્કી! તો વળી પંજાબના AAPએ તમામ રેકોર્ડ તોડ્યાં!

Lok Patrika
By Lok Patrika
Share this Article

યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડના એક્ઝિટ પોલ્સના આંકડા જાહેર થઈ ચૂક્યા છે. અલગ-અલગ સાત તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીથી ૦૭ માર્ચ સુધીમાં યોજાયેલી ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો હતો. અત્યારસુધી આવેલા એક્ઝિટ પોલ્સમાં પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મજબૂત સ્થિતિમાં જાેવા મળી રહી છે. જ્યારે ગોવામાં આ વખતે પણ કોઈ એક પક્ષને બહુમત ના મળે તેવા સંકેત છે, અને રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી પણ બની શકે છે.

યુપીની જાે વાત કરવામાં આવે તો એક એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાનો અંદેશો વ્યક્ત કરાયો છે, જ્યારે ઉત્તરાખંડ માટે મોટાભાગના એક્ઝિટ પોલ્સ ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે
ઉત્તર પ્રદેશઃ ઉત્તરપ્રદેશ પર ન્યૂઝ એક્સ-પોલસ્ટાર્ટનો એક્ઝિટ પોલમાં ભાજપ- ૨૧૧-૨૨૫, સમાજવાદી- ૧૪૬-૧૬૦, બીએસપી- ૧૪-૨૪ને બેઠક મળવાની સંભાવના છે. ગોવા પર ઝી ન્યૂઝના એક્ઝિટ પોલમાં ગોવામાં ભાજપને ૧૫, કોંગ્રેસને ૧૬, આમ આદમી પાર્ટીને ૨ અને અપક્ષોને ૭ બેઠકો મળશે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે.

ઉત્તર પ્રદેશ સીએનએન ન્યૂઝ ૧૮ના એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપની સરકાર બનશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમાં જણાવાયું છે કે, ભાજપ યુપીની ૪૦૩ બેઠકોમાંથી ૨૪૦ બેઠકો પર વિજય મેળવી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી ૧૪૦, બીએસપી ૧૭ અને અપક્ષો ૬ બેઠક જીતી શકે છે.યુપી પર પી-માર્કનો એક્ઝિટ પોલ ભાજપ- ૨૪૦, એસપી- ૧૪૦, બીએસપી- ૧૭, કોંગ્રેસ- ૪ બેઠક મળવાનો અંદાજ છે. ઉત્તરપ્રદેશમાં હાલ ભાજપ સત્તા પર છે, જાેકે ચૂંટણીના સંગ્રામમાં અખિલેશ યાદવની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ પણ આકરી ટક્કર આપી છે.

સમાજવાદી પાર્ટીએ નાના-નાના પક્ષો સાથે પણ ગઠબંધન કર્યું છે, અને કેટલીક બેઠકો પર ઉમેદવારો પણ નથી ઉભા રાખ્યા. હવે જાેવાનું એ રહે છે કે તેની આ ગણતરી કેટલી સાચી પડે છે. પંજાબઃ ઈન્ડિયા ટીવી સીએનએસના એક્ઝિટ પોલ મુજબ પંજાબમાં કોંગ્રેસ બહુમતની નજીક દેખાઈ રહી છે. જાેકે, અન્ય એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઈન્ડિયા ટીવી મુજબ આપને ૨૭-૩૭ બેઠકો મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસને ૪૯-૫૯ બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપને ૨-૬ બેઠકો મળી શકે છે. અન્યને ૧-૩ બેઠકો મળવાનો અંદાજ છે.

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની લહેર જાેવા મળી રહી છે. અહીં આપને ૭૬-૮૦ બેઠક મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ અહીં સત્તામાંથી બહાર થતી જાેવા મળી રહી છે. કોંગ્રેસને ૧૯-૩૧ બેઠકો મળતી દેખાઈ રહી છે. ભાજપને ૧-૪ , જ્યારે શિરોમણી દળને ૭-૧૧ બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને ૦-૨ બેઠક મળી શકે છે. પંજાબમાં કુલ સાત એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની જીતની શક્યતા વ્યક્ત કરાઈ છે. સરેરાશ પર નજર કરીએ તો, રાજ્યમાં આપને ૬૬, કોંગ્રેસને ૨૬, એસએડીને ૧૯, ભાજપને ૪ બેઠકો મળી શકે છે.

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી નજરે પડી રહી છે. તેમાં આપને ૧૦૦, કોંગ્રેસને ૧૦, એસએડીને ૬ અને ભાજપને ૧ બેઠક મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. પંજાબ અંગે જન કી બાત- ઈન્ડિયા ન્યૂઝનો એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીની સરકારનો વર્તારો કરાયો છે. તેમાં જણાવાયું છે કે, આમ આદમી પાર્ટી રાજ્યમાં ૬૦-૮૪, કોંગ્રેસ ૩૧-૧૮, અકાલી દળ ૧૯-૧૨ જ્યારે ભાજપ ૦૭-૦૩ બેઠકો જીતી શકે છે. રાજ્યમાં કુલ ૧૧૭ બેઠકો છે.

પંજાબ પર ઈન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલમાં આપઃ ૭૬-૯૦ કોંગ્રેસઃ ૧૯-૩૧ ? ભાજપઃ ૧-૪ એસએડીજીછડ્ઢ ઃ ૭-૧૧ (કુલ બેઠકો ૧૧૯) મળી શકે છે. ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં ફરી એકવખત ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે. આજ તક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ રાજ્યની ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૩૬-૨૬ બેઠકો ભાજપને મળી શકે છે. કોંગ્રેસને ૨૦-૩૦ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે બીએસપીને ૨-૪ બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને ૨-૫ બેઠકો મળી શકે છે.

ઉત્તરાખંડઃ સી-વોટરનું અનુમાન અનુસાર રાજ્યમાં ભાજપ ૨૬-૩૨, કોંગ્રેસ ૩૨-૩૮ બેઠકો જીતી શકે છે. (કુલ બેઠકો- ૭૦). ઈટીજી રિસર્ચના આકલન અનુસાર, ઉત્તરાખંડમાં ભાજપ ૩૮, કોંગ્રેસ ૩૦, આમ આદમી પાર્ટી ૧ અને અપક્ષો ૧ બેઠક જીતી શકે છે. રાજ્યમાં કુલ ૭૦ બેઠકો છે. ગોવાઃ ટાઈમ્સ નાઉ-વેટોના આકલન અનુસાર, ગોવામાં ભાજપ ૧૪, કોંગ્રેસ ૧૬, આપ ૪ અને અપક્ષો ૬ બેઠકો જીતી શકે છે. રાજ્યમાં કુલ ૪૦ વિધાનસભા બેઠકો આવેલી છે. ટાઈમ્સ નાઉ-વેટોના એક્ઝિટ પોલ અનુસાર, ગોવામાં આ વખતે પણ ત્રિશંકુ વિધાનસભાના એંધાણ છે.

એબીપી સી વોટર એક્ઝિટ પોલ મુજબ ગોવામાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ, ૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. બીજેપીને ૧૩-૧૭ બેઠક મળી શકે છે. કોંગ્રેસને ૧૨-૧૬, જ્યારે આમ આદમી પાર્ટીને ૧-૫ બેઠકો મળવાનો અંદાજ છે.
ટીએમસીને ૫-૯ બેઠકો મળી શકે છે, તો અન્યને ૦-૨ બેઠક મળવાનો અંદાજ છે. ઉત્તરાખંડ પર એબીપી-સી વોટરના સર્વેમાં ભાજપને ૪૧ ટકા વોટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

કોંગ્રેસને ૩૯ ટકા વોટ મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને ૯ ટકા વોટ મળવાની શક્યતા છે. અન્યોને આ ચૂંટણીમાં ૧૧ ટકા વોટ મળવાના ચાન્સ છે. ટાઈમ્સ નાઉ નવભારતના એક્ઝિટ પોલમાં ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનતી નજરે પડી રહી છે. રાજ્યની ૭૦ બેઠકોમાંથી ભાજપને ૩૭ અને કોંગ્રેસને ૩૧ બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે આમ આદમી પાર્ટી ૧ અને અન્ય પક્ષ ૧ બેઠક જીતી શકે છે. મણિપુરઃ મણિપુરમાં ભાજપ સરકાર બનાવી શકે છે.

મણિપુરમાં ભાજપને ૩૨-૩૮ બેઠકોની આશા છે. બીજી તરફ, કોંગ્રેસ ને ૧૨-૧૭ બેઠકો મળી શકે છે. મણિપુરમાં ભાજપને ૩૯ ટકા મત મળવાનો અંદાજ, કોંગ્રેસને ૩૦ ટકા મત મળવાનો અંદાજ, અન્યને ૧૬ ટકા મત મળવાનો અંદાજ, એનપીએફને ૯ ટકા મત મળવાનો અંદાજ, એનપીપીને ૬ ટકા મત મળવાનો અંદાજ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરાયો છે. હાલમાં પાંચમાંથી ચાર રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ છે તેમાંથી હાલ યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સત્તા પર છે, જ્યારે એકમાત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. પંજાબમાં કોંગ્રેસ ચરણજીતસિંહ ચન્નીને જ સીએમ ફેસ બનાવીને ચૂંટણી લડી છે. સાત તબક્કામાં યોજાયેલા મતદાનની ગણતરી ૧૦ માર્ચના રોજ કરવામાં આવશે. આ દિવસે યુપી, મણિપુર,પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં કોની સરકાર બનવાની છે તે સ્પષ્ટ થઈ જશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly