તમે જે પૈસા ટોલ ટેક્સ તરીકે ચૂકવો છો તે તમને માત્ર રસ્તા પર મુસાફરી કરવા માટે ચાર્જ કરવામાં નથી આવતો, પરંતુ તમે અન્ય ઘણી સુવિધાઓ પણ મેળવી શકો છો. રોડનું સંચાલન કરતી કંપનીનું કામ છે કે તે રોડ પર વાહન બગડવાની, ઓઈલ ખતમ થઈ જવા અથવા કોઈપણ તબીબી ઈમરજન્સીના કિસ્સામાં ડ્રાઈવરને વિનામૂલ્યે મદદ કરે.
ડ્રાઈવરોની મદદ માટે એમ્બ્યુલન્સ, રિકવરી વાહનો અને સુરક્ષા ટીમો તમામ ટોલ પોઈન્ટ પર રાખવામાં આવી છે. આ તમામ સુવિધાઓ એક ફોન કોલ પર ઉપલબ્ધ છે. તેથી તમારે તમારા મોબાઇલમાં NHAI ના કેટલાક હેલ્પલાઇન નંબરો સાચવવા જોઈએ.
જો ટોલ હાઈવે પર મુસાફરી કરતી વખતે તમારા વાહનમાં ઈંધણ સમાપ્ત થઈ જાય અને નજીકમાં કોઈ પેટ્રોલ પંપ ન હોય, તો તમારું વાહન બાજુ પર પાર્ક કરો અને ટોલ રસીદ પર આપેલા હેલ્પલાઈન નંબર અથવા પેટ્રોલ નંબર 8577051000 પર કૉલ કરો. તમને જલદીથી થોડા લિટર પેટ્રોલ અથવા ડીઝલ મળશે. તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે પરંતુ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
જો હાઇવે પર મુસાફરી કરતી વખતે પેસેન્જરનું વાહન તૂટી જાય, તો તમે મિકેનિક અથવા ક્રેન સેવાની મદદ લેવા માટે હકદાર છો. આ માટે તમારે હેલ્પલાઈન નંબર 8577051000, 7237999955 પર કોલ કરવાનો રહેશે.
જો કોઈ વ્યક્તિ નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે બીમાર પડે, તો તમે નેશનલ હાઈવે ઓથોરિટીના એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર 8577051000 અને 7237999911 પર કૉલ કરીને એમ્બ્યુલન્સ બિલકુલ મફતમાં મેળવી શકો છો.
માવઠાંનો માર સહન કર્યા બાદ ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાશે, હવામાન વિભાગે કરી 5 દિવસની આગાહી
અયોધ્યાના આ મંદિરમાં ખુલ્લા પડી જાય છે હરેક રાઝ, ખોટુ બોલશો તો ધનોત-પનોત નીકળી જશે!
જો તમને રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના હેલ્પલાઈન નંબર 1033 અથવા 108 પર ફોન કરો. આ સેવા સતત 24 કલાક ચાલે છે. તમારો કૉલ NHEI ના કૉલ સેન્ટરના એક્ઝિક્યુટિવ દ્વારા તરત જ પ્રાપ્ત થશે. તે તમારી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરશે.