દિવાળી પહેલા જ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને મોટું એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના નિશાના પર છે. ગુપ્તચર એજન્સીઓના દસ્તાવેજો પરથી ખુલાસો થયો છે કે પીએમ મોદી પર આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલાની યોજના ઘડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIએ પીએમ મોદી પર હુમલો કરવા માટે આ કામ લશ્કર-એ-તૈયબાને સોંપ્યું છે.
ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે આ આતંકીઓ કોઈપણ રેલી કે કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને નિશાન બનાવી શકે છે. આ આતંકવાદીઓ રેલી કે રોડ શોમાં પોલીસની વર્દીમાં એન્ટ્રી લઈ શકે છે. ગુપ્તચર દસ્તાવેજોને ટાંકીને એ વાત સામે આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ યુનિફોર્મમાં પણ આતંકવાદી પીએમ મોદીના સ્થળ પર આત્મઘાતી હુમલો કરી શકે છે. એટલું જ નહીં, લશ્કરના આતંકવાદીઓ કેટલાક સુરક્ષાકર્મીઓના સંપર્કમાં પણ છે. જો કે, ભારતીય સુરક્ષા દળોને આઈએસઆઈના આતંકવાદી પ્લાનની ખબર પડી ગઈ છે અને આ એલર્ટ જોઈને બધા ચોંકી ગયા છે. તમને જણાવી દઈએ કે આ એલર્ટ એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદી આગામી 1 સપ્તાહ દરમિયાન ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે. આ એલર્ટ બાદ પીએમ મોદીના કાર્યક્રમોમાં અત્યાર સુધી કોઈ ફેરફારના સંકેત નથી.
ગુપ્તચર એજન્સીઓના એલર્ટ દસ્તાવેજો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ લશ્કરને ભારતના તમામ મોટા નેતાઓને પોતાના નિશાના પર લેવાનો આદેશ આપ્યો છે. આમાં સૌથી મોટું નામ પીએમ મોદીનું છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ વર્દીમાં આવેલા આ આતંકવાદીઓ પીએમ મોદી પર આત્મઘાતી હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીએ લશ્કર-એ-તૈયબાની વાતચીત રેકોર્ડ કરી છે, ત્યાર બાદ જ આ માહિતી સામે આવી છે. માનવામાં આવે છે કે આ એલર્ટ બાદ પીએમ મોદીની સુરક્ષા વધી શકે છે.