ચંદીગઢના કંસલ ગામમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે અહીં કેરીના બગીચામાં જીવતો બોમ્બ મળ્યો. આ સ્થળ પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓના ઘરથી માત્ર 2 કિમી દૂર છે. બંને મુખ્યમંત્રીઓના હેલિપેડ અહીંથી માત્ર 1 કિમી દૂર છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. સ્થળના દરેક ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે જીવતા બોમ્બને ટૂંક સમયમાં ડિફયુઝ કરવામાં આવશે.
ચંદીગઢ પોલીસના સિવિલ ડિફેન્સ નોડલ ઓફિસર કુલદીપ કોહલીએ જણાવ્યું હતું કે કંસલ અને નયા ગાંવના ટી-પોઈન્ટની વચ્ચે કેરીના બગીચામાં એક જીવતો બોમ્બ મળ્યો હતો. અમે સમગ્ર વિસ્તારને આવરી લીધો છે. આ અંગે આર્મી બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આર્મી બોમ્બ સ્ક્વોડ અહીં પહોંચી જશે અને બોમ્બને ડિફ્યુઝ કરશે. ત્યાર બાદ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. જીવતો બોમ્બ અહીં કેવી રીતે પહોંચ્યો તે અમે શોધી કાઢીશું.
બીજી તરફ રેસ્ક્યુ ટીમના વડા સંજીવ કોલેજે જણાવ્યું કે પોલીસ અને બચાવ ટીમને ચંદીગઢ અને પંજાબના સરહદી વિસ્તાર પાસે એક જીવતો બોમ્બ મળી આવ્યો હોવાની માહિતી મળી હતી. અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સૌપ્રથમ આખા વિસ્તારને સીલ કરી દીધો. અમે સૈન્ય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. આ બોમ્બને ટૂંક સમયમાં જ નિષ્ક્રિય કરવામાં આવશે. તે એક સંલગ્ન વિસ્તાર છે અને VIP ઘરો અને સચિવાલય નજીકમાં છે. તેથી જ આ સમગ્ર કામ પ્રાથમિકતા સાથે કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા પશ્ચિમ બંગાળ(West Bengal)ની વાત કરીએ તો ત્યાં TMC નેતાના ઘરે બોમ્બ બ્લાસ્ટ(Bomb blast) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં 3 લોકોના મોત(3 people died) થયા છે. પૂર્વ મિદનાપુરમાં આ બ્લાસ્ટમાં TMC નેતાનું ઘર બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પૂર્વ મેદિનીપુર બોર્ડરના ભૂપતિ નગર પોલીસ સ્ટેશન હેઠળના અર્જુન નગર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરે ગઈકાલે રાત્રે બ્લાસ્ટ થયો હતો.
Wb | A blast occurred at residence of TMC booth president Rajkumar Manna in Arjun Nagar area under Bhupati Nagar PS in Purba Medinipur limits last night. Injuries reported. Party's National General Secretary Abhishek Banerjee is scheduled to hold a public rally in Contai today. pic.twitter.com/1ynqX7G6S3
— ANI (@ANI) December 3, 2022
સ્થાનિક લોકોનું કહેવું એવું હતું કે, મોડી રાત્રે અમે જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ તેણે બહાર આવીને જોયું કે ટીએમસીના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘર પર આગ લાગી હતી. પોલીસનું કહેવું છે કે ઘરની અંદર દેસી બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો કે ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.