રાજસ્થાનના જાેધપુરમાં પોતાના પરિવારને બંધક બનાવનારા સીઆરપીએફ જવાને પોતાને જ ગોળી મારી દીધી છે. પોલીસ કમિશનર રવિદત્ત ગૌંડે તેની પુષ્ટિ કરી છે. જવાન લગભગ છેલ્લા ૧૮ કલાકથી પોતાની પત્ની અને ૮ મહિનાની પુત્રીને એક રૂમમાં બંધક બવનાવ્યા હતા. તેની સાથે જ વારંવાર બાલકનીમાં આવીને હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો.
જાેધપુર સ્થિત સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં જવાને રવિવારે સાંજે ૫ઃ૦૦ વાગ્યે પરિવાર સહિત પોતાને સરકારી ક્વાર્ટરના રૂમમાં બંધક બનાવી લીધા હતા.
૧૭ કલાક સુધી તેમણે કોઈની સાથે વાત પણ ન કરી અને અધિકારીઓ તથા પરિવાર દ્વારા સમજાવવા પર કોઈ રિસપોન્સ પણ નહોતો આપ્યો. તે વારંવાર બાલકનીમાં આવી હવાઈ ફાયરિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ ૧૮ કલાકે જવાને પોતાનો મોબાઈવ ફોન ઓન કર્યો હતો. જવાન નરેશનું કહેવું છે કે, તેમણે અહીં કોઈની સાથે વાત નથી કરવી. તેમને અહીં કોઈ પણ અધિકારી પર વિશ્વાસ નથી. તે માત્ર સીઆરપીએફ આઈજી સાથે જ વાત કરશે જેઓ દિલ્હીમાં પોસ્ટેડ છે.
જવાનની આ વાત સાંભળીને તરત જ દિલ્હી ફોન કરવામાં આવ્યો અને આઈજી વિક્રમ સહગલ તરત જ જાેધપુર પહોંચી ચૂક્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે આરટીસી સીઆરપીએફ જાેધપુર પરિસરમાં એટીએસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓના કમાન્ડોઝ પણ પહોંચી ચૂક્યા હતા. તેમણે જવાનના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ જવાને રૂમમાં પત્ની અને પુત્રીને બંધક બનાવ્યા હતા તેથી કંમાડો કોઈ પણ પ્રકારનું રિસ્ક નહોતા લેવા માગતા. બધા સીઆરપીએફના આઈજી વિક્રમ સહગલના આવવાની રાહ જાેઈ રહ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે પોતાને ગોળી મારી દીધી હતી.