બોટાદથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે સ્ટેશન પર ટ્રેનમાં વિકરાળ આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા લોકો વચ્ચે દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાની ટળી હતી. જો કે વિચારવાનું એ પણ છે કે ટ્રેન બંધ હાલતમાં હતી તો કેવી રીતે ભડકે બળી.
આ બાબતની રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી લોકોને આંશિક રાહત અનુભવાઈ હતી.
સોનાના દાગીના ખરીદનારાઓ માટે મોટા સમાચાર, સોનું 65,000 અને ચાંદી 80,000 રૂપિયે મળતું થઈ જશે!
વિગતો સામે આવી રહી છે કે આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઉપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક આગ ભભૂકી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી પણ આગને કાબુમા લઈ લેતા મોટો હાશકારો અનુભવાયો છે