India News : આ વખતે 29મી સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો પર્વ આવી રહ્યો છે. જેના પગલે બનાસકાંઠાનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી અહીં મેળાનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. તે જોતા અહીં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી સંભાવના પણ છે. આ સાથે હજારોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણોમાં વંદન કરવા પગપાળા યાત્રા કરી આવતા હોય છે. માં અંબાના ભક્તોની પગપળા દર્શન અર્થે આવવાની આ યાત્રા સુખદ રહે તે અંગે અનેક સંસ્થાઓ પણ કામે લાગી છે.
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૩, તા.૨૩-૦૯ -૨૦૨૩ થી તા.૨૯ -૦૯-૨૦૨૩ સુધી યાત્રાળુઓ માટે આરતી – દર્શનનો સમય#BhadarviPoonam2023 #Bahdarvi #Poonam #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #Mahamela #BhadarviPoonam2023 pic.twitter.com/u2SzAVpAy1
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 22, 2023
સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો શરૂ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. માત્ર વહીવટી તંત્ર જ નહીં પરંતુ સેવાભાવી સંસ્થાઓએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે. લાઈટ, દૂધ, પાણી, ભોજન, આવાસ, આરોગ્ય આ તમામ સેવાઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
માઈભક્તોની સેવા કરવા સેવા કેમ્પોના સંચાલકોમાં અનેરો ઉત્સાહ
આ વખતે 40 લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શન માટે આવે તેવી શક્યતા છે. ત્યારે તમામ ભક્તોની સેવા માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો તૈયાર કરાયા છે. અને માઈભક્તોની સેવા કરવા સેવા કેમ્પોના સંચાલકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
ડોમમાં યાત્રિકો માટે આરમથી લઈ તમામ વ્યવસ્થા
અંબાજી મેળામાં આ વખતે ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવે છે. સાત જેટલા મોટા વિશાળ ડોમ પાલનપુરથી અંબાજી હાઈવે ઉપર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં યાત્રિકોનની આરામ કરવાથી માંડીને આરોગ્યની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
પગપાળા સંઘો હવે ધીમે ધીમે અંબાજીમાં પ્રવેશી રહ્યાં છે. અને અંબાજીના માર્ગ પર જય અંબેના નાદ સંભળાઈ રહ્યાં છે. ત્યારે માઈભક્તોની સેવા માટે તંત્રથી લઈને સેવાભાવી સંસ્થાઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ અંબાજીમાં મેળાને લઈને સબંધિત વિભાગ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી તા. 23 થી લઈ 29 સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીના આંગણે ભવ્યાથી ભવ્ય મેળો યોજાશે, જેમાં લગભગ 40 લાખથી વધુ શ્રદ્ધાળુ સહભાગી બને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી રાજ્યકક્ષાના મેળાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.
નવીનમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ પણ લોન્ચ કરાયો
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય પણ ચૂક ન રહે તે માટે તંત્ર દિવસ રાત એક કરી કામગીરી કરી રહ્યું છે. રહેવા જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકિપિંગ, અગ્નિશામકના સાધનો સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામા આવી છે. સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગ બેરંગી રોશનીના શણગાર કરતા માતાજીના મંદિરની શોભા ઝગજગારા મારી રહી છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતાં પદયાત્રીઓ અને માઇભક્તોને ઉપરોક્ત QR કોડ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓની સંપૂર્ણ માહિતી મળી રહેશે…#Gujarat #Ambaji #BhadarviPoonam pic.twitter.com/DVfc77fT6f
— Harsh Sanghavi (@sanghaviharsh) September 7, 2022
બજારમાં માત્ર ટામેટાં જ ટામેટાં થઈ ગયા, ખેડૂતો રસ્તા પર ફેંકવા મજબૂર, ભાવ આકાશથી સીધા ખીણમાં
ભારત માટે બેવડો ખતરો વધ્યો! પાકિસ્તાને પણ ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું, સાથે મળીને કંઈક નવા જૂની કરશે
આ સુંદરી કોઈ અભિનેત્રી કે મોડેલ નથી પણ એક IAS ઓફિસર છે, છાતી ચીરનારો સંઘર્ષ કરીને પહોંચી આ મૂકામ પર
સફેદ કલરના કારણે યાત્રિકો વગર ચપ્પલ પગથિયાં પર ચાલી શકશે
યાત્રિકોને સહેજ સમસ્યા ન આવે તે માટે ડિજિટલ પહેલ પણ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ લોન્ચ કરવામાં આવશે. જે QR કોડની મદદ વડે યાત્રિકોને રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન આંગળીના ટેરવે શૉધી શકશે. તેમજ સફેદ કલરના લીધે ચપ્પલ વિના પણ યાત્રિકોને ચાલવામાં અગવડતા ન પડે તે માટે ગબ્બર પર્વતના પગથિયા પર સફેદ કલર કરવા સહિતની કામગીરી પણ કરાઈ છે. આ ઉપરાંત 500 થી વધુ સફાઈ કામદારો પણ જોડાઈ તેવુ આયોજન કરાયું છે.