હાલમાં ચારેકોર ઠંડી પડી રહી છે. તો વળી ક્યાંક માવઠુ પણ પડી રહ્યું છે. એવામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કાળઝાળ ગરમી પડી શકે છે. અંબાલાલ પટેલે વાત કરી છે કે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી આસપાસ પહોંચી જશે અને ઠંડીમાંથી રાહત મળશે.
આ સાથે જ આગાહી કરવામાં આવી છે કે ફેબ્રુઆરીના અંતમાં તાપમાન ૩૮ ડીગ્રી થઇ શકે ૨૫-૨૬ માર્ચે દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે અને હવામાનમાં ભારે પલટો આવી શકે છે. હાલ રાજ્યમા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે અંબાલા સાથે સાથે હવામાન વિભાગે વધુ એક અગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે મહાશિવરાત્રી બાદ્થી શિયાળો વિદાય લેશે અને ગુજરાતીઓને કોલ્ડવેવથી રાહત મળશે. અમદાવાદમાં બપોરે પારો તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં ૩૧ ડિગ્રીએ પહોંચી જશે તેવી આગાહી સામે આવી છે.
મહાશિવરાત્રી બાદ્થી શિયાળો વિદાય લેશે
શૈલેષ લોઢા ખાલી ખોટી હવા કરે છે, પાયા વિહોણા આરોપો પર તારક મહેતા… શોના મેકર્સે જણાવી અસલી હકીકત
આપણે અહીં બજેટ અને ઈન્કમ ટેક્સ પર હાહો-હાહો કરીએ અને આ 12 દેશમાં કોઈને ઈન્કમ ટેક્સ આપવો જ નથી પડતો
બીજી તરફ ત્રણ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનનું હાલનું પ્રમાણ જળવાઈ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હાલ રાજ્યમા ઠડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં પારો લઘુતમ ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે જે તા. ૭ ફેબ્રુઆરી સુધીમાં ૧૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ પહચવાની શકયતા છે. આ સિવાય વડોદરા ૧૪.૮, ભાવનગર ૧૭.૪, ભૂજ ૧૨, છોટાઉદેપુર ૧૫, દાદરા-નગર હવેલી ૧૮.૨, દાહોદ ૧૨, દમણ ૧૯, ડાંગ ૧૫, ડીસા ૧૨.૬, દીવ ૧૪.૨, દ્વારકા ૧૬.૪, ગાંધીનગર ૧૨.૮, જૂનાગઢ ૧૯.૮, જામનગર ૧૫.૯, કંડલા ૧૪.૪, નલિયા ૫.૩ પારો નોંધાયો છે.