માવઠાની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રોગચાળો વધી રહ્યો છે. સુર્ય વિશ્વ સંપાદિત નિમિતે 21 માર્ચથી આવશે. ધીમે ધીમે ગરમી વધશે. ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે. 18 માર્ચથી 20મી એપ્રિલ સ્વાસ્થય માટે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે કફ, શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે. જેના કારણે લોકોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ એવું અંબાલાલે દરેક ગુજરાતીઓને સાવચેત કર્યા છે.
અંબાલાલે આગળ વાત કરી કે ગુજરાતમાં 19 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક વિસ્તારમાં માવઠુ થશે. 24 થી 26 માર્ચના પણ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ઉંચા મોજા ઉછળશે અને એપ્રિલની શરુઆતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 8 મે પછી આંધીઓનુ પ્રમાણ વધશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેના કારણે જગતના તાતમાં દુખની લાગણી જોવા મળી રહી છે, કારણ કે માવઠાના કારણે લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
આજે તારીખ 15મી માર્ચના રોજ રાજ્યમાં ઠેર-ઠેર હળવા અથવા ભારે પવન સાથે માવઠાંની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મહત્વના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરમાં ગુજરાત આખું વાદળોથી ઘેરાયું નજરે પડી રહ્યું છે. અમદાવાદમાં પણ હાલમાં ચારેકોર ધુમ્મસનું વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે.