Gujarati News: અમૂલ ડેરીએ આ વખતે લોકો માટે સારા સમાચાર આપ્યા છે. પશુપાલકોના હિતમાં એક મોટો નિર્ણય લેવાયો છે, નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં સીધો 20 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદ કિંમત 820 કરવામાં આવી છે. અગાઉ પ્રતિ કિલો ફેટે 800 રૂપિયા આપવામાં આવતા હતા. ભાવ વધારો આવતીકાલે 1 એપ્રિલથી લાગુ થશે. તેમજ અમૂલ ડેરી દરેક પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે એ વાત પણ લોકોના ખુશીનું કારણ બની રહી છે.
આ જ રીતે દૂધસાગર ડેરીએ પણ પશુપાલકોને એક મોટી ભેટ આપી છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને ફાયદો થશે. 1 એપ્રિલથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને 770ના બદલે 790 રૂપિયા ચૂકવાશે તેમજ ભાવ વધારાથી મહિને 7 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે. છેલ્લા 26 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 140 રૂપિયાનો વધારો કરાયો છે.
તો વળી દૂધના ભાવમાં થયેલા ઘટાડાથી સામાન્ય લોકોને હજુ કોઈ રાહત દેખાઈ નથી. આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો થઈ શકે છે અને દૂધના ભાવ નવી ઊંચાઈએ પહોંચી શકે છે, કારણ કે ઘાસચારા અને દૂધાળા પશુઓને કારણે તેના ઉત્પાદન પર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં જો આગામી વર્ષોમાં દૂધના ભાવ વધી શકે છે. નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓ અને ખેડૂતો દૂધના ભાવમાં વધારો કરી શકે છે.
શા માટે ઘાસચારાની અછત હતી
ઘઉંનો ઉપયોગ પશુઆહારમાં થાય છે. ઘઉંની નિકાસમાં વધારાને કારણે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ નથી. બીજી તરફ ઉનાળા બાદ વરસાદના કારણે પાકને વધુ નુકસાન થયું છે જેના કારણે પશુઓ માટે ઘાસચારામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત દૂધ આપનારા પશુઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
દૂધના ભાવમાં 13 થી 15 ટકાનો વધારો થયો છે
દૂધમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો ડિસેમ્બરમાં 6.99 ટકા અને જાન્યુઆરીમાં 8.96 ટકા હતો અને ફેબ્રુઆરીમાં 10.33 ટકા પર પહોંચ્યો હતો, જે સતત ત્રીજા મહિને વધી રહ્યો હતો. નિષ્ણાંતોના મતે વિશ્વભરમાં અનાજના ભાવમાં થયેલા વધારા વચ્ચે છેલ્લા 15 મહિનામાં રિટેલ દૂધની કિંમતમાં 13 થી 15 ટકાનો વધારો થયો છે.
શા માટે ઘાસચારાની કિંમતમાં વધારો?
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં પુરવઠાની અછત સર્જાઈ છે. ઘઉં, જવ અને મકાઈ કે જે ઘાસચારા માટેના મુખ્ય અનાજ છે તેની નિકાસ પણ વધી છે. આવી સ્થિતિમાં, ઉચ્ચ નિકાસને કારણે, દૂધ ઉત્પાદનમાં 70 થી 75 ટકા હિસ્સો ધરાવતા ઘાસચારામાં 20 થી 25 ટકાનો ઉછાળો આવ્યો છે.