રાજકોટમાં બાગેશ્વર બાબાનો દરબાર ચાલી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિદેવનોને લઈ અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. ત્યારે તેઓ સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. બાબાએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવચન આપતા કહ્યું હતું કે બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી.
બાબા આગળ કહે છે કે મને રાજકોટ ગમી ગયું છે. વધુમાં જીવવું કેમ? તે દુનિયાએ રાજકોટવાસીઓ પાસેથી શીખવું જોઈએ. બાબાએ દિવ્ય દરબાર ખાતે નારો આપી હુંકાર કર્યો કે ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો.
સનાતનીઓએ એક થવું પડશે. એક, બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે અને શાંતિ મંત્રની જગ્યાએ બાબા બાગેશ્વર દ્વારા ક્રાંતિ મંત્ર આપવામાં આવ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-મારે કોઈ પાર્ટી સાથે મતલબ નથી.
બાબા બાગેશ્વરે રાજનેતાઓને પણ કહું હતું કે પાર્ટી માટે મદદ માંગવા આવવું નહિ! જો આવવું હોઈ તો બાબા બાગેશ્વરના દર્શન માટે આવજો. મારી માએ મને કહ્યું તને ડર નથી લાગતો. મે કહ્યું માં હિન્દુ રાષ્ટ્ર માટે અને સંતોના રક્ષણ માટે મરી જવા પણ પણ તૈયાર છું. ન હું દાન લેવા આવ્યો છું. ન હું માન મેળવવા આવ્યો છું. હું માત્ર તમારા સૌમાં હનુમાનજી માટે ભાવ જગાવવા આવ્યો છું. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીની આ વાતો ખુબ જ વાયરલ થઈ રહી છે.