સુરતમાં પેટ્રોલ પંપ પર 300નું પેટ્રોલ નખાવ્યું અને ટાંકીમાંથી માત્ર 2 લિટર જ નીકળ્યું, ઘાલમેલનો વીડિયો વાયરલ થતાં હાહાકાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

પેટ્રોલ પંપ પર વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરતી વખતે અવારનવાર લોકો સાથે છેતરપિંડી થતી હોય છે. ક્યારેક પેટ્રોલ-ડીઝલ નિર્ધારિત જથ્થા કરતાં ઓછા પ્રમાણમાં મળે છે તો ક્યારેક પૈસામાં થોડી હેરાફેરી થઈ શકે છે. આપણી કાર, સ્કૂટર કે બાઇકમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવામાં આપણામાંથી એક યા બીજી વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બની હશે. ત્યારે હવે સુરતના ડિંડોલીના એક પેટ્રોલ પંપ પર હોબાળો થયો છે. પેટ્રોલ ઓછું અપાતો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.


આ વાત છે શક્તિ પેટ્રોલિયમની કે જ્યાં પેટ્રોલ કટ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. બુલેટ બાઈકમાં રૂપિયા 300થી વધુનું પેટ્રોલ નખાવ્યું હતું પણ પેટ્રોલ ઓછુ આવતા યુવકે હોબાળો મચાવ્યો હતો. આવી સ્થિતિમાં તમારે પણ સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. ડિંડોલીના શક્તિ પેટ્રોલિયમ પંપ પર યુવકે હોબાળો મચાવ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બુલેટ બાઈકમાં રૂપિયા 300થી વધુનું પેટ્રોલ નખાવ્યું હતું પરંતુ પેટ્રોલ ટાંકી ખોલી પેટ્રોલ કાઢવામાં આવ્યું તો માત્ર 2 લિટર પેટ્રોલ નીકળ્યું હતું. યુવકે રૂપિયા 300થી વધુનું પેટ્રોલ નખાવતા માત્ર બાઈકની ટાંકીમાંથી 2 લિટર જ પેટ્રોલ નીકળ્યું હોવાથી બધો કાંડ છતો થયો હતો. ગ્રાહક સાથે સમાધાન કરવા મેનેજરે પ્રયાસો કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શક્તિ પેટ્રોલિયમ પર આવા બનાવો બન્યા છે ત્યારે હવે એક વધારે બનાવ સામે આવતા હાહાકાર મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે બળતણ ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે ફ્યુઅલ ફિલિંગ પંપનો કર્મચારી અગાઉના ગ્રાહકના વાહનમાં ઇંધણ ભર્યા પછી મશીનને શૂન્ય કરી રહ્યો છે કે નહીં. જો કર્મચારી આવું ન કરે, તો તરત જ તેને અટકાવો અને તેને આમ કરવા માટે કહો. આ સિવાય મીટર પાસે ઉભા રહીને સેલ્સમેનની તમામ ગતિવિધિઓ પર નજર રાખો. પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો મુખ્ય રીતે દર્શાવવી જરૂરી છે.

આનાથી ગ્રાહકને ઈંધણના વર્તમાન ભાવ વિશે માહિતગાર રહે છે. આમાં, ડીલરને વેચવામાં આવેલા ઇંધણ માટે વધુ ચાર્જ કરવાની મંજૂરી નથી. જ્યારે પણ તમે ઈંધણ ખરીદો ત્યારે ડીલર દ્વારા વસૂલવામાં આવેલી કિંમતને ડિસ્પ્લે પર દર્શાવેલ કિંમત સાથે મેચ કરો. ઉપરાંત, તમે ખરીદો છો તે ઇંધણ માટે રોકડ મેમો મેળવવાનું ભૂલશો નહીં.

‘ભૂકંપ આવવાનો છે…’, આ વૈજ્ઞાનિકની ભવિષ્યવાણી સાચી પડી, 24 કલાક પહેલા જ વ્યક્ત કરી હતી આશંકા

વાહ માતાજીની કૃપા થઈ! નવરાત્રિના પહેલા દિવસે સોના ચાંદીનાં ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો એક તોલાનો ભાવ

રાજકોટમાં 1 કલાકમાં 1.25 ઈંચ વરસાદ, આગામી બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા

કેટલાક પેટ્રોલ પંપ પર ભેળસેળયુક્ત પેટ્રોલ અને ડીઝલની સમસ્યા પણ આવે છે. આવું હલકી ગુણવત્તાનું બળતણ તમારા વાહનના એન્જિનને પણ નુકસાન પહોંચાડી શકે છે. તમે તેને ફિલ્ટર પેપર ટેસ્ટથી ચકાસી શકો છો. પેપર પર પેટ્રોલના થોડા ટીપા નાંખવાથી ખબર પડશે કે તે અપ ટુ ધ માર્ક છે કે ભેળસેળવાળું છે. જો પેટ્રોલ શુદ્ધ છે, તો તે કોઈપણ ડાઘ છોડ્યા વિના બાષ્પીભવન કરશે. જો કે, જો તેમાં ભેળસેળ હોય તો, પેટ્રોલના ટીપા કાગળ પર થોડો ડાઘ છોડી જશે.


Share this Article