ગુજરાતમાં તલાટીની પરિક્ષા જેટલી ગોથે ચડી છે એટલું તો નાસા વાળા પણ ગ્રહોની શોધમાં નહીં હેરાન થતા હોય, કેટલાય વર્ષો વીતી ગયા પણ હજુ પરિક્ષા લેવાનું સફળ નથી જઈ રહ્યું. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરીને ઉમેદવારો તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા 23 એપ્રિલનાં રોજ લેવા માંગે છે. તેવી જાહેરાત કરી હતી. પરંતું હવે નવી સંભવિત તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 23, 2023
ત્યારે આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી સંભાવનાઓ છે. તો બીજી તરફ GPSSBએ તલાટીની પરીક્ષાનાં આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે..
તો સાથે સાથે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે ટ્વિટમાં એવું પણ જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા ચકાસ્યા બાદ કન્ફોર્મ પરીક્ષાની તારીખ કરાશે જાહેર કરવામાં આવશે.
આ મહિલા છે એકદમ હટકે રામભક્ત, 7 લાખ ચોખાના દાણા પર લખી નાખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને સલામી આપશો
એ વાત જાણીતી છે કે GPSSB દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ સરકાર દ્વારા IPS હસમુખ પટેલની ગુજરાત પંચાયત બોર્ડનાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આજે તેઓએ ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ પણ ટ્વિટ પર જાહેર કરી છે અને હવે વિદ્યાર્થીઓમાં પણ ઘણો આનંદ જોવા મળી રહ્યો છે, તેમ છતાં એક વર્ગ એવું કહી રહ્યો છે કે હજુ પણ પરિક્ષા લેવાઈ જાય અને પરિણામ આવી જાય પછી જ અમને તો હાશકારો અનુભવાશે, કેમ કે આ સરકારમાં ક્યારે શું થાય એનું નક્કી જ નથી રહેતું.