ગુજરાત અને ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો! પહેલા આવતા એના કરતાં સીધા ડબલ, સરકારે એડવાઈઝરી પણ બહાર પાડી

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. આજે 21 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે તો વળી એક્ટિવ કેસ 181 છે. 24 અને કલાકમાં 501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જિલ્લાઓ પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં 32, રાજકોટમાં 6 કોરોના કેસ,
સુરતમાં 4, ભાવનગરમાં 3, સાબરકાંઠામાં 2 કેસ, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોના કેસ નોંધાયા છે.

તો વળી ભારતમાં પણ ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. એક સમયે, જ્યાં દરરોજ કોવિડના 200 થી ઓછા કેસ નોંધાતા હતા, હવે 400 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશના કેટલાક રાજ્યોમાં પોઝિટીવીટી રેટ વધવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ સંબંધમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોનાના વધતા કેસ પર કડક નજર રાખવા જણાવ્યું છે. છેલ્લા 11 દિવસની વાત કરીએ તો દેશમાં દરરોજ કોવિડના 200 થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 ના દર્દીઓ પણ વધી રહ્યા છે. દિલ્હી સહિત દેશભરમાં H3N2 કેસ જોવા મળી રહ્યા છે. કેન્દ્રએ રાજ્યોને દવા અને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડ-19 સામે રસીકરણ અને ઈન્ફલ્યુએન્ઝા જેવી હોસ્પિટલની તૈયારીઓનો સ્ટોક લેવા પણ વિનંતી કરી છે.

કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખવામાં આવેલા પત્રમાં શું છે

દેશમાં ફરી એકવાર કોરોનાના ફેલાવાને લઈને ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં એવા દર્દીઓ પર ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે કે જેમને શ્વાસની તકલીફ હોય અથવા ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો હોય. રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું છે કે ભારતમાં થોડા મહિનાઓથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને કોવિડ-19 રસીકરણનો કવરેજ વધ્યો છે. પરંતુ આ પછી પણ અમે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, રસીકરણ અને કોવિડ પ્રોટોકોલનો સમાવેશ કરીએ છીએ.

પહેલા 200થી નીચે, હવે 400થી વધુ કેસ

42 દિવસ પછી 3 રાશિઓના જીવનમાં આવશે મોટું તોફાન, 6 મહિના સુધી રાહુ-ગુરુની યુતિ ખલબલી મચાવી દેશે

બાગેશ્વર બાબા ધીરેન શાસ્ત્રી કોઈને પણ પોતાના પગ સ્પર્શ નથી કરવા દેતા, હનુમાનજી કારણ જણાવીને કહી આવી વાત

VIDEO: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર ઈંટ અને પથ્થરમારો, બારીના કાચના ભૂક્કા બોલાવી નાખ્યા

જ્યાં થોડા મહિનાઓથી દેશમાં કોરાનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, ત્યાં હવે તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં એક સમયે દરરોજ 200 થી ઓછા કેસ નોંધાતા હતા, હવે 400 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક દિવસ પહેલા દેશમાં 440 કેસ નોંધાયા છે, જ્યારે 3 લોકોના મોતના સમાચાર પણ છે. આ મૃત્યુ કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં થયા છે. બીજી તરફ, ગુરુવારે 379 કેસ નોંધાયા હતા.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly