Meteorological Department: હાલમાં ગુજરાતમાં ચારેકોર વરસાદ થઈ રહ્યો છે અને માવઠાએ લોકોની ચિંતા વધારી દીધી છે. એ જ રીતે આજના હવામાનની વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા અને કચ્છ સહિત ઉત્ત ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદ થવાની આગાહી છે.
આ ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે. તો વળી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. આ પછી કાલથી જ આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુરુવારની વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના કેટલાક ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદી માવઠું થયું હતું. હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનાઓ પાછળ ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવીને આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા સ્વસ્થતા પ્રત્યે વધારે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે.
રાજ્યમાં માવઠાનો માહોલ ઉભો થયો હોવાના કારણે સામાન્ય વર્ષોમાં આ સમયમાં આકરી ગરમીની શરુઆત થઈ ગઈ હોય પરંતુ આ વખતે સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાય છે. જ્યારે અમદાવાદમાં 34, સુરેન્દ્રનગરમાં 34, ગાંધીનગરમાં 33, રાજકોટમાં 33, અમરેલીમાં 33, વલ્લભ વિદ્યાનગરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ મહિલા છે એકદમ હટકે રામભક્ત, 7 લાખ ચોખાના દાણા પર લખી નાખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને સલામી આપશો
રાજ્યમાં ગુરુવારે સૌથી ઊંચું મહત્તમ તપામાન 37 ડિગ્રી વલસાડમાં નોંધાયું હતું, જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન સૌરષ્ટ્રના મહુવામાં નોંધાયું હતું. રાજ્યમાં વરસાદનું જોર આજથી ઘટ્યા બાદ લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.