દિલ્હીની નવી આબકારી નીતિમાં કથિત કૌભાંડ સંબંધિત EDની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલનું નામ આવ્યા બાદ ભાજપે શનિવારે આમ આદમી પાર્ટીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોરચો ખોલીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
દિલ્હી બીજેપીના કાર્યકારી પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલમાં કોઈ નૈતિકતા હોય, તો મદન લાલ ખુરાનાએ 1995માં જ્યારે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે તેમના દ્વારા દર્શાવવામાં આવેલી નૈતિકતાને અનુસરીને, જો તેમનું નામ EDની ચાર્જશીટમાં આવે તો તેમણે રાજીનામું આપવું જોઈએ.
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ વિધુરીએ કહ્યું કે ભાજપ શરૂઆતથી જ કહેતી આવી છે કે આમ આદમી પાર્ટીની સરકારના દારૂ કૌભાંડને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સમર્થન છે અને હવે EDની ચાર્જશીટમાં પણ અમારા આરોપની પુષ્ટિ થઈ છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગઈકાલે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાથી લઈને તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાનું નામ પણ આવી ગયું છે. EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે AAPએ ગોવામાં ચૂંટણી પ્રચાર માટે દિલ્હી દારૂ કૌભાંડના પૈસાનો ઉપયોગ કર્યો હતો.