Gujarati News: જેસલમેરના કલેક્ટર IAS ટીના ડાબીએ વિસ્થાપિત પાકિસ્તાની હિન્દુઓને મદદ કરવા માટે એક યોજના બનાવી છે. એક ટીમની રચના કરવામાં આવી છે, જેનું કામ આ પરિવારો માટે આશરો શોધવાનું છે,ટૂંક સમયમાં પરિવારોને ત્યાં સ્થાયી કરવામાં આવશે. હાલમાં આ લોકોને નાઈટ શેલ્ટરમાં આશરો આપવામાં આવ્યો છે.
રાજસ્થાનના જેસલમેરમાં બુધવારે સાંજે પાકિસ્તાનથી વિસ્થાપિત હિન્દુઓના ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા બાદ જેસલમેરના DM IAS ટીના ડાબી ચર્ચામાં આવી છે. તેમને બુધવારે આ તમામ લોકોના રહેવા તથા ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી .લગભગ 50 જેટલા પરિવારો માટે તેમને ભોજનની વ્યવસ્થા કરી હતી તેમજ પીવાના પાણીની પણ સગવડ કરી આપી હતી.તેમણે આ કાર્યવાહી અંગે એમ પણ કહ્યું હતું કે અમર સાગર તળાવ વિસ્તારના કેચમેન્ટ એરિયામાં અતિક્રમણની મંજૂરી આપી શકાય નહીં.
પુનઃવસવાટ માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે- Tina Dabi
આઈએએસ ડીએમ ટીના ડાબીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિસ્થાપિત પાકિસ્તાની હિન્દુઓ પ્રાઇમ લેન્ડ અને કેચમેન્ટ એરિયા તેમજ ફાળવણીની જમીન પર કબજો કરે છે.જેને દૂર કરવા માટે ગત એપ્રિલ મહિનામાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે લોકોને પણ સમજાવવામાં આવ્યા, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. જેના કારણે ફરીથી કાર્યવાહી કરવામાં આવી