માવઠાની વચ્ચે નવી આગાહી કરવામાં આવી છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલીમાં 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકે પવન અને ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદ પડશે આ સાથે કરા પડવાની પણ સંભાવના છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, સુરત અને કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીથી પણ લોકોમાં ચિંતાનો માહોલ છે.
તો આ તરફ માવઠાની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રોગચાળો વધી રહ્યો છે. સુર્ય વિશ્વ સંપાદિત નિમિતે 21 માર્ચથી આવશે. ધીમે ધીમે ગરમી વધશે. ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે.
18 માર્ચથી 20મી એપ્રિલ સ્વાસ્થય માટે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે કફ, શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે. જેના કારણે લોકોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ એવું અંબાલાલે દરેક ગુજરાતીઓને સાવચેત કર્યા છે.
આજે તારીખ 15મી માર્ચના રોજ રાજ્યમાં ઠેર-ઠેર હળવા અથવા ભારે પવન સાથે માવઠાંની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મહત્વના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરમાં ગુજરાત આખું વાદળોથી ઘેરાયું નજરે પડી રહ્યું છે. અમદાવાદમાં પણ હાલમાં ચારેકોર ધુમ્મસનું વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે.